SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વામીને કેવળજ્ઞાન પ્રગટ્યું. ભગવાનની સાડબાર વર્ષ જેટલી લાંબી અને આકરી આત્મ સાધના તે દિવસે પરિપૂર્ણ થઈ. ભગવાન સર્વજ્ઞ અને સર્વદર્શી બન્યા. ભગવાનના કેવળજ્ઞાન કલ્યાણકનો મહોત્સવ ઉજવવા સ્વર્ગના દેવ દેવીઓ ધરતી ઉપર આવ્યા. ઋજુવાલિકા નદીના ઉત્તર કિનારે દેવોએ સમવસરણની રચના કરી. ભગવાને દેશના આપી પણ અફળ ગઈ. ત્યારે ભગવાને જોયું કે બીજે જ દિવસે ધર્મતીર્થને અપૂર્વ લાભ થવાનો છે. અને ભગવાન વિહાર કરીને બીજે દિવસે અપાયા નગરીના મહાસેન નામના વનમાં પધાર્યા. એ સમયે અપાયા નગરીમાં ધનાઢય બ્રાહ્મણ સોમિલે મોટો યજ્ઞ આદર્યો હતો. યજ્ઞમાં અગિયાર વિદ્વાન બ્રાહ્મણોની સાથે વસુભૂતિના ત્રણ પુત્રો ઈંદ્રભૂતિ, અગ્નિભૂતિ અને વાયુભૂતિ હતા. અનેક લોકો યજ્ઞમાં જઈ રહ્યાં હતા તો બીજી તરફ અસંખ્ય માનવીઓ ભગવાન મહાવીરની ધર્મપરિષદામાં જઈ રહ્યાં હતા. દેવોને જોઈને સોમિલ બ્રાહ્મણ અને ૧૧ વિદ્વાન પંડિતો આનંદ પામ્યા પણ દેવો યજ્ઞ સ્થાનના બદલે બીજી દિશામાં જઈ રહ્યાં હતા. ત્યારે સોમિલ દેવ અને પંડિત ઈંદ્રભૂતિ નિરાશ થયા ત્યારે કોઈ જાણકારે કહ્યું કે દેવો તો નિગ્રંથ ભગવાન મહાવીરની ધર્મસભામાં જઈ રહ્યાં છે. આ સાંભળીને ઈંદ્રભૂતિ વિચલિત બની ગયા. તેમને અભિમાન ચઢયું કે મારા જેવો સર્વ શાસ્ત્રનો જ્ઞાતા હોવા છતાં સર્વજ્ઞપણાનો ઢોંગ કરનાર આ વળી કોણ પાખંડી જાગ્યો છે? અને પંડિત ઈન્દ્રભૂતિ ગૌત્તમ પોતાના પાંચસો શિષ્યો સાથે શ્રમણ ભગવાન મહાવીરની ધર્મસભા તરફ ચાલી નીકળ્યા. ઈન્દ્રભૂતિ ગૌત્તમ અને તેના પાંચસો શિષ્યો ધર્મસભામાં આવ્યા. ભગવાન મહાવીરે ઈન્દ્રભૂતિ ગૌત્તમનું સંબોધન કરીને સ્વાગત કર્યું. ઈન્દ્રભૂતિ ગૌત્તમ આશ્ચર્યચકિત થઈ ગયા. ત્યાં તો ભગવાન મહાવીરે ઈન્દ્રભૂતિ ગૌત્તમના મનમાં રહેલી શંકાનું સમાધાન કર્યુ. આમ ભગવાન મહાવીરના ઈન્દ્રભૂતિ ગૌત્તમ પ્રથમ શિષ્ય અર્થાત પ્રથમ ગણધર બન્યા અને પાંચસો શિષ્યો સાથે દીક્ષા ગ્રહણ કરી. ક્રમશઃ અગ્નિભૂતિ ગુરૂ શ્રી ગૌત્તમસ્વામી ૧૯૦
SR No.032666
Book Title108 Parshwanath Tirth Samput Part 03
Original Sutra AuthorN/A
AuthorPrashantshekharvijay
PublisherUgamraj Bhanvarlal Shahji
Publication Year2006
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy