________________
વર્ષની વયે તેઓ રાજગૃહનગરમાં વૈભારગિરિ ઉપર પધાર્યા અને કાયાની માયા ઉપર પૂર્ણ વિજય મેળવીને એમણે એક માસનું અણસણ સ્વીકાર્યું. એ અણસણને અંતે ગૌત્તમસ્વામી મહાનિર્વાણ પામ્યા.
(ગુરૂ ગૌત્તમસ્વામી)
| શ્રી ગૌત્તમસ્વામીનું અષ્ટક અંગૂઠે અમૃત વસે, લબ્ધિ તણાં ભંડાર; તે ગુરૂ ગૌત્તમ સમરીએ, વાંછિત ફલ દાતાર. ૧ પ્રભુવચને ત્રિપદી લહી, સૂત્ર રચે તેણી વાર; ચઉદય પૂરવમાં રચે, લોકાલોક વિચાર. ૨ ભગવતી સૂત્રે ધુરનમી, બંભી લિપિ જયકાર; લોક-લોકોત્તર સુખ ભણી, ભાખી લિપિ અઢાર. ૩ વીર પ્રભુ સુખિયા થયા, દિવાલી દિન સાર; અંતર્મુહરત તતક્ષણે, સુખિયો સહુ સંસાર. ૪ કેવળજ્ઞાન લહે યદા, શ્રી ગૌત્તમ ગણધાર; સુર-નર હરખ ધરી તદા, કરે મહોત્સવ ઉદાર. ૫ સુર-નર પરષદા આગલે, ભાખે શ્રી શ્રુતનાણ; નાણ થકી જગ જાણીએ દ્રવ્યાદિક ચઉ કાણ . ૬ તે શ્રુતજ્ઞાનને પૂજીયે, દીપ ધૂપ મનોહાર; વીર આગમ અવિચલ રહો, વરસ એકવીસ હજાર. ૭ ગુરૂ ગૌત્તમ અષ્ટક કહી, આણી હર્ષ ઉલ્લાસ; ભાવ ધરી જે સમરશે, પૂરે સરસ્વતી આશ. ૮
અથવા શાસન શ્રી પ્રભુ વીરનું, સમજે જે સુવિચાર; ચિદાનંદ સુખ શાશ્વતા, પામે તે નિરધાર. ૮
ગુરૂ શ્રી ગૌતમસ્વામી
૧૯૨