________________
જો નરોડા નગર - જનકા, કર રહે કલ્યાણ હૈ | ભક્તિસે જિનકી ભક્તજન, કરતે સદા ગુણગાન હૈ || કષ્ટ-હર્તા, સુખ-કર્તા, જો ગુણોની ખાન હૈ | ઐસે “શ્રી પદ્માવતી પાર્શ્વ' કો મૈં, ભાવસે કરૂં વંદના ||
પદ્માવતી બહુનામથી હરદમ હૃદયમાં દયાવતી, સંકટ હરે તુજ ભક્તના ભક્તિ કરે એ ધ્યાનથી, જે નરોડા નગરી નિવાસી લોકો શ્રધ્ધા પામતા, ‘પદ્માવતી' પ્રભુ પાર્શ્વને, ભાવે કરૂં હું વંદના,
આ તીર્થનો પ્રભાવ ખૂબજ વ્યાપક છે. પદ્માવતી પાર્શ્વનાથ ગોડી પાર્શ્વ તરીકે પણ ઓળખાય છે. અહીંના પદ્માવતી માતા અત્યંત પ્રાચીન અને પ્રભાવપૂર્ણ તથા હાજરા હજુર છે.
હૈ પાર્શ્વનાથ સ્વામી, આપ સર્વ કર્મ રૂપ દુષ્ટ વૈરીનું દલન કરનાર છો. કમઠ નામ મહામૂર્ખ, અસુરરૂપ પવન સામે મેરૂવતુ અડગ રહેનાર છો. નિર્મળ સિધ્ધસ્થાનમાં રમનારા છો. જગતના જીવોરૂપી ઉજ્જવલ કમળને વિકસાર કરનારા આદિત્યછો. પરમત રૂપી મેઘ ઘટાનું વિસર્જન કરનારા પવન છો. જલપૂર્ણ મેઘઘટા જેવો શ્યામ આપનો દેહ છે અને આપ ઉપશમ કરનારા છો. પાપરજનું હરણ કરનારા મેઘ છો. ત્રિભુવનને પૂજય છો. અને ભવભયને હરનારા છો. મૃત્યુને દળનારા છો. અને ભવ્ય જીવોની નરકોનો ક્ષય કરનારા છો.
અગાધ ભવસાગરથી તારનારા છો. કામદેવના વનનું દહન કરનારા છો. એવા છે, અભયદાતા પ્રભુ આપનો જય થાઓ....જય થાઓ....જય થાઓ... કે હે પ્રભુ ! જ્યારે હું ઈચ્છાઓ, આકાંક્ષાઓ, કર્મ, કુળ, તર્ક અને કાર્યકારણરૂપી મનની મદભૂમિથી દૂર તારા સાંનિધ્યમાં હોઉ છું, ત્યારે જ વાસ્તવિક રીતે મારી સાથે મારા અસ્તિત્વની શ્રેષ્ઠતમ પળોને જીવતો હોં છું. મારો તમામ
શ્રી નરોડા પદ્માવતી પાર્શ્વનાથ
૧૮૪