________________
શ્રી પાર્શ્વ વંદના
ચૈત્યવંદના અશ્વસેન કુળ દીવડો, વામાનંદન નાથ; વારાણસી નગરી ધણી, પાર્શ્વનાથ મહારાજ....૧ એ કસો વરસનું આઈખું; કાયા છે નવ હાથ; નિર્મળ નયનાનંદ છો, શોભે લાંછન નાગ....૨ ભવબંધનને તોડવા, સમરથ છો પ્રભુ આપ; મોહન” ભાવે પૂજતાં, પામે શિવસુખ રાજ....૩
સ્તવના શિવ રમણીના પ્રિતમ પ્યારાં, પરમાનંદ સ્વરૂપ; નયનાનંદ મનોહર મારા, પારસનાથ અનુપ....૧ નિલવરણ નિરમળ નિહિ, અનંગજીત ભગવંત; પરમ દયાળુ પુરુષોત્તમજી, જ્ઞાન રૂપ અહિરત...૨ પારસ પરસે લોહખંડને, પળમાં કંચન થાય; પદ પંકજ પારસનાં પરસે, ભવના બંધન જાય....૩ શામળીયાની સેવા કરતાં, મનના મળ દળ જાય; રંગ બીજો કદીએ નવ વળગે, એવા અજીત થવાય....૪ અંતરના અમૃત છલકાવી, પૂજીએ પાસ નિણંદ; મોહન” ભવનાં અંધારામાં, પ્રગટ પુરણ ચંદ....૫
| (વૈદ્મ મોહનલાલ ચુ. ધામી રચિત) ગોડી પારસના ચરણમાં હો જો મારી વંદના, પદ્માવતી પારસના નામે દેવી પદ્મા સેવતા, નરોડામાં વસનારા પ્રભુ નરઆડાને સીધા કરે, ‘પદ્માવતી’ પારસના ચરણમાં તન મન ધન અર્પણ સદા.
શ્રી નરોડા પદ્માવતી પાર્શ્વનાથ