________________
leur fe
નીચે વિક્રમ સંવત ૧૮૮૮નો લેખ છે.
મોટા પોસીનામાં ચોથું મહાવીર સ્વામીનું જિનાલય છે. આચાર્ય ભગવંત શ્રી વિજયદેવસૂરિ ૧૭માં સૈકામાં મોટા પોસીના પધાર્યા ત્યારે અહીંના પાંચેય જિનાલયોનો જીર્ણોધાર કરાવ્યો હતો. જૈનાચાર્યોએ શ્રી મોટા પોસાના પાર્શ્વનાથ તીર્થ - શ્રી વિઘ્નાપહાર પાર્શ્વનાથ તીર્થની મુક્ત મને પ્રશસ્તિ રચી છે.
વિશેષ જાણકારી
H કહેવ
અહીં વિવિધ પુસ્તકો તથા પુસ્તિકાઓનું અવતરણ પ્રસ્તુત છે. (૧) આ પ્રાચીન તીર્થનું નિર્માણ મહારાજા કુમારપાળે કરાવ્યાની લોકવાયકા છે. આ પ્રતિમા એ સમયે અહીં એક વૃક્ષ નીચે ભુગર્ભમાંથી પ્રગટ થયા હતા. જે શ્રી વિઘ્નાપહરા પાર્શ્વનાથ તરીકે જગ વિખ્યાત થયા. અહીં રહેવા માટે ધર્મશાળા અને ભોજનશાળાની સગવડ છે. આ સિવાય અહીં બીજા ચાર જિનાલયો છે. ખેડબ્રહ્માથી આ તીર્થ ૪૦ કિ.મી.ના અંતરે આવેલું છે.
(૨) કહેવાય છે કે મોટા પોસીના ગામમાં વિક્રમની તેરમી સદીમાં અહીં એક મોટા વૃક્ષની નીચે ભુગર્ભમાંથી આ પ્રતિમાજી પ્રગટ થયા હતા. મહારાજા કુમારપાળે આ મંદિરનું નિર્માણ કરાવી આ પ્રભુ પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી હતી. એવી લોકવાયકા છે.
અહીં કોઈપણ સંઘ આવવાનો હોય ત્યારે મંદિરની ધજા દંડને વિંટાઈને સંકેત આપે છે. વિક્રમની સત્તરમી સદીમાં આચાર્ય ભગવંત શ્રી વિજયદેવસૂરિશ્વરજી મહારાજાના વરદ હસ્તે પુનઃ જીર્ણોધ્ધાર થયાનો ઉલ્લેખ છે. તારંગાજીની તળેટીમાં મોટા તેમજ નાના પોસીના બન્ને તીર્થોમાં ખૂબજ શાંતિમય વાતાવરણ છે.
શ્રી વિઘ્નાપહારજી પાર્શ્વનાથ
૧૬૩