SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ | મંગલ સમયમાં, ઉત્તમ ચોઘડિયે મંદિરની પ્રતિષ્ઠા મહોત્સવ તો સંપન્ન થયો પણ અચાનક એક વિઘ્ન આવીને ઊભું રહ્યું. એવું બન્યું કે જિનાલયની પાસે એકાએક આગ લાગી. સૌ કોઈ ચિંતામાં પડી ગયા અને વિચારવા લાગ્યા કે થોડીવારમાં નૂતન જિનાલય આગની લપેટમાં ભરખાઈ જશે. મહોત્સવમાં આવેલા સૌ કોઈની ચિંતાનો પાર નહોતો. એ વખતે અગ્નિની મહાજવાળાને તત્કાળ ઠારવાના સાધનો નહોતાં. ત્યાં જ ચમત્કાર થયો એકાએક પ્રગટેલો અગ્નિ જિનાલયને કોઈપણ જાતનું નુકસાન કર્યા વિના શાંત પડી ગયો. આમ થતાં સૌ કોઈ પાર્શ્વનાથ પ્રભુનો અને જૈન શાસનદેવનો જયનાદ કરવા લાગ્યાં. સૌ કોઈને થયું કે આ પ્રભુના પ્રભાવથી જ અગ્નિ શાંત પડ્યો છે. અગ્નિના વિદનનો અપહાર થતાં લોકો ઉમંગ સાથે બોલી ઉઠ્યા : “શ્રી વિજ્ઞાપહાર પાર્શ્વનાથ ભગવાનની જય...” એ દિવસથી જૈન - જૈનેતરોમાં વિજ્ઞાપહાર પાર્શ્વનાથ પ્રભુ પ્રત્યેની શ્રધ્ધા અને ભક્તિમાં વધારો થયો. - મહારાજા સાયરે જિનાલયના નિભાવ માટે એક વાડીની ભેટ શ્રી સંઘને આપી હતી. આચાર્ય ભગવંત શ્રી સોમસુંદરસૂરિના ઉપદેશથી વિક્રમ સંવત ૧૪૮૧માં માંડણ ગામના શ્રેષ્ઠીએ આ જિનાલયમાં એક દેવકુલિકાનું નિર્માણ કર્યું હતું. જ્યારે વિક્રમ સંવત ૧૪૯૧ના માગસર વદ-૪ના દિવસે અર્જુન નામના શ્રેષ્ઠીએ આચાર્ય ભગવંત શ્રી સોમસુંદરસૂરિશ્વરજી મહારાજના વરદ હસ્તે જિનાલયમાં ઋષભદેવ પ્રભુની પ્રતિમાજી પ્રતિષ્ઠિત કરાવી. | વિક્રમ સંવત ૧૪૮૧માં માંડણ શ્રેષ્ઠીએ આચાર્ય ભગવંત શ્રી સોમસુંદરસૂરિશ્વરજીના હસ્તે ભગવાન શાંતિનાથની પ્રતિષ્ઠા કરાવી હતી. આ ગામમાં શ્રી શાંતિનાથ ભગવાનનું જિનાલય છે. તેના મૂળનાયક નીચે વિક્રમ સંવત ૧૨૮૧નો ઉલ્લેખ છે. તેમજ શ્રી નેમિનાથ પ્રભુના મંદિરમાં મૂળનાયક શ્રી વિનાપહારજી પાશ્વનાથ ૧૨
SR No.032666
Book Title108 Parshwanath Tirth Samput Part 03
Original Sutra AuthorN/A
AuthorPrashantshekharvijay
PublisherUgamraj Bhanvarlal Shahji
Publication Year2006
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy