________________
શ્રી પાર્શ્વ સ્તવના
ચૈત્યવંદન
અશ્વસેન કુળ દીવડો, વામાનંદન નાથ; વારાણસી નગરી ધણી, પાર્શ્વનાથ મહારાજ....૧ એકસો વરસનું આઈખું; કાયા છે નવ હાથ; નિર્મળ નયનાનંદ છો, શોભે લાંછન નાગ....૨ ભવબંધનને તોડવા, સમરથ છો પ્રભુ આપ; ‘મોહન’ ભાવે પૂજતાં, પામે શિવસુખ રાજ....૩
સ્તવના
શિવ ૨મણીના પ્રિતમ પ્યારાં, પરમાનંદ સ્વરૂપ; નયનાનંદ મનોહર મારા, પારસનાથ અનુપ....૧ નિલવરણ નિરમળ નિર્દેહિ, અનંગજીત ભગવંત; પરમ દયાળુ પુરુષોત્તમજી, જ્ઞાન રૂપ અહિરંત...૨ પારસ ૫૨સે લોહખંડને, પળમાં કંચન થાય; પદ પંકજ પારસનાં પરસે, ભવના બંધન જાય....૩ શામળીયાની સેવા કરતાં, મનના મળ દળ જાય; રંગ બીજો કદીએ નવ વળગે, એવા અજીત થવાય....૪ અંતરના અમૃત છલકાવી, પૂજીએ પાસ જિણંદ; ‘મોહન’ ભવનાં અંધારામાં, પ્રગટ પુરણ ચંદ....૫
સ્તુતિ
આનંદકંદ
નયનાનંદ નિલવરણ શિવસુખકરણ
પારજિન
તરણ
૧૩૪
તારણ
પ્યારાં;
હારા;
શ્રી લોટાણા પાર્શ્વનાથ