________________
પરમાતમ સુરનર
મંગલ મુનિજન
સ્વરૂપ સદાય
તિમિર જ હરનારા;
ગુણગાતા તારા. (મોહનલાલ ચુ. ધામી રચિત)
હે પાર્શ્વનાથ સ્વામી, આપ સર્વ કર્મ રૂપ દુષ્ટ વૈરીનું દલન કરનાર છો. કમઠ નામ મહામૂર્ખ અસુર રૂપ પવન સામે મેરૂવત્ અડગ રહેનારા છો. નિર્મલ સિધ્ધસ્થાનમાં રમનારા છો. જગતના જીવોરૂપી ઉજ્જવલ કમળને વિકસ્વર કરનારા આદિત્ય છો. પરમત રૂપી મેઘ ઘટાનું વિસર્જન કરનારા પવન છો. જલપૂર્ણ મેઘઘટા જેવો શ્યામ આપનો દેહ છે અને આપ ઉપશમ કરનારા છો. પાપરજનું હરણ કરનારા મેઘ છો. ત્રિભુવનને પૂજય છો. અને ભવભયને હરનારા છો. મૃત્યુને દળનારા છો અને ભવ્ય જીવોની નરકોનો ક્ષય કરનારા છો.
અગાધ ભવ સાગરથી તારનારા છો. કામદેવના વનનું દહન કરનારા છો. એવા હે, અભયદાતા પ્રભુ આપનો જય થાઓ...જય થાઓ.....જય થાઓ.....
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં
બિરાજમાન શ્રી લોહાણા પાર્શ્વનાથ ભારતવર્ષમાં જૈન ધર્મનો વિજયધ્વજ અતિ પ્રાચીન કાળથી લહેરાઈ રહ્યો છે. જૈનો વ્યવહાર કુશળ, ધર્મવત્સલ, અને કલાપ્રેમી રહ્યાં છે. ભારતમાં ધર્મપ્રિય શ્રેષ્ઠીઓએ પ્રભુભક્તિ માટે ઠેરઠેર જિનાલયોના ભવ્ય નિર્માણ કરાવીને તેમાં શ્રી જિનેશ્વર ભગવંતોની દૈદીપ્યમાન, પરમ પ્રભાવક પ્રતિમાજીઓ બિરાજમાન કરાવી છે. આજે પણ પ્રાચીન જિનાલયો ભૂતકાળના દિવ્ય સંભારણાની માફક અડીખમ ઊભા છે. ભૌગોલિક પરિસ્થિતિ, આક્રમણ અને સ્થળાંતર જેવા કારણોથી અનેક જિનાલયો અદૃશ્ય થયા છે. પરંતુ તીર્થનું મહાભ્ય અને તેનો પ્રભાવ પ્રાચીન કાળથી અકબંધ રહ્યો છે. આજે પણ તેમાં જરાપણ ઘટાડો થયો નથી.
આજે શ્રી શંખેશ્વર તીર્થનો મહિમા દિન-પ્રતિદિન વધતો જાય છે. શ્રી
શ્રી લોટાણા પાર્શ્વનાથ
૧૩૫