________________
Fir
usenForS
વિક્રમ સંવત ૨૦૩૭માં આ સ્થાને અમીવૃષ્ટિ કલાકો સુધી થઈ હતી. આ જિનાલયના જીર્ણોધ્ધાર અર્થે જીર્ણ મંદિરને ઉતારવાનો પ્રારંભ થયેલો. ત્યારે જમીન માંથી ૨૦૦ જેટલાં પ્રાચીન પરંતુ અત્યંત તાજા પુષ્પોની પાંદડીઓ અને સિંદુર મળેલા હતા. એક કુંડી પણ નીકળી હતી. તેમાંથી સુગંધી પુષ્પો પણ નીકળ્યાનું કહેવાય છે.
સુરતમાં શ્રી શીતલનાથજીના જિનાલયમાં આવેલ ભોંયરામાં શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ પ્રભુજી બિરાજે છે. કાયોત્સર્ગ મુદ્રામાં, શ્વેતવર્ણના સહસ્ત્રફણાથી વિભૂષિત આ પ્રતિમાજીની ઊંચાઈ ૫૮ ઈંચ અને પહોળાઈ ૧૭ ઈંચની છે. સુરતના શ્રેષ્ઠી ભાઈદાસ નેમીદાસે આચાર્ય ભગવંત શ્રી જિનલાભ સૂરિશ્વરજી મહારાજાના પાવનકારી ઉપદેશથી શ્રી સહસ્રફણા પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજીનું નિર્માણ કરાવ્યું. તેમણે વિક્રમ સંવત ૧૮૨૭ના વૈશાખ સુદ ૧૨ ના આચાર્ય ભગવંતના વરદ હસ્તે ૧૮૧ જિનબિંબોની અંજનશલાકા - પ્રતિષ્ઠા કરાવી હતી. અને મૂળનાયક રૂપે શ્રી શીતલનાથ પ્રભુને ગાદીનશીન કર્યાં હતા.
આ જિનાલયના ભોંયરામાં શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથજીને બિરાજમાન કર્યાં હતા. શ્રેષ્ઠી ભાઈદાસ નેમીદાસે સુરતમાં ઉપાશ્રય અને સિધ્ધગિરિ પર એક જિનાલયનું નિર્માણ કરાવ્યું હતું.
Step
શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી અતિ મનોહર અને દર્શનીય છે તેમજ ચમત્કારી છે. શિલ્પકારોએ તેમાં કલાના કામણ પૂર્યા છે. આ જિનાલયનો તાજેત૨માં જ જીર્ણોધ્ધાર થયો હતો. અનેક આચાર્યો, મુનિ-ભગવંતો અને કિવોએ શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ પ્રભુની સ્તુતિ પોતાની રચનાઓમાં ગાઈ છે.
(B)
*4*733YE
©e iPh
૧૧૮
@
Sing
શ્રી સહસ્ત્રફણાજી પાર્શ્વનાથ