________________
શ્રી પાર્શ્વ જિન સ્તવન
તું પ્રભુ મારો હું પ્રભુ તારો, ક્ષણ એક મુજને નહિ વિસારો, મહેર કરી મુંજ વિનંતી સ્વીકારો, સ્વામી સેવક જાણી નિહાળો - ૧
લાખ ચોરાસી ભટકી પ્રભુજી, આવ્યો હું તારે શરણે હો જિનજી, દૂરગતિ કાપો, શિવસુખ આપો, સ્વામી સેવક જાણી નિહાળો - ૨
અક્ષય ખજાનો પ્રભુ તારો ભર્યો છે, આપોકૃપાળુ મેં હાથ ધર્યો છે, વામાનંદન જગવંદન પ્યારો, દેવ અનેરા માટેં તું ન્યારો...૩
પલ-પલ સમરું નાથ શંખેશ્વર, સમરથ તારણ તું હી જિનેશ્વર, પ્રાણ થકી તું અધિક વહાલો, દયા કરી મુજને નેહે નિહાળો...૪
ન
ભક્ત વત્સલ તારૂં બિરૂદ જાણી, કેડ ન છોડું એમ લેજો જાણી, ચરણોની સેવા નિતનિત ચાહું, ઘડી ઘડી મનમાં રે ઉમા હું...પ
જ્ઞાન વિમલ તુજ ભક્તિ પ્રભાવે, ભવોભવના સંતાપ શમાવે, અમીય ભરેલ તારી મૂતિ નિહાળી, પાપ અંતરના ધોજોએ પખાળી...૬
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિ વિહારમાં બિરાજમાન શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ
પુણ્યવંતી ભૂમિ શંખેશ્વરમાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુનું મુય તીર્થ છે
શ્રી સહસ્ત્રફણાજી પાર્શ્વનાથ
૧૧૯