________________
દર્શનાર્થે ગયા. ત્યાંની કલા કારીગરી જોઈને નવાઈ પામી ગયા. નટુભાઈ, રેખાબેન અને ઋત્વિક ફરતી ભમતીમાં પંચાવનમી દેરી પાસે ઊભા રહી ગયા. ત્યાં મૂર્તિ જોઈને નટુભાઈ, રેખાબેન અને ઋત્વિક ભાવ વિભોર બની ગયા. ત્રણેયે ખૂબજ ભાવથી દર્શન-વંદન કર્યા. શ્રી ૧૦૮ પાર્શ્વનાથ જિનાલયમાં દર્શન કરીને તેઓ બજારમાં ફરતાં ફરતાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથના દર્શન અર્થે ગયા. ત્યાં પહોંચ્યા પછી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી નિહાળીને અત્યંત ભાવુક બની ગયા.
નટુભાઈ, રેખાબેન અને ઋત્વિકે ત્યાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુના જાપ કર્યા લગભગ એકાદ કલાક શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુના જિનાલયમાં બેસીને પછી ધર્મશાળા પર આવ્યા. અને ભોજનશાળામાં બેસીને પછી ધર્મશાળા પર આવ્યા. અને ભાજનશાળામાં ભોજન માટે ગયા.
આમ બે દિવસ રોકાઈને તેઓ ઉપલેટા પાછા ફર્યા. નટુભાઈ ઉપલેટા આવીને સીધા દિલસુખભાઈના ઘેર આવ્યા અને કહ્યું: ‘દિલસુખભાઈ, આપનો કયા શબ્દોમાં ઉપકાર માનું તેની ખબર પડતી નથી. અમે શંખેશ્વર જઈ આવ્યા ત્યાં શ્રી શંખેશ્વર પાર્શ્વ પ્રભુના દર્શન કર્યા અને જાણ્યું પાવન થઈ ગયા તેવી અનુભૂતિ અમને સૌને થઈ તેમજ શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિ વિહારનું જિનાલય કેટલું ભવ્ય છે...! તેમાંય ફરતી ભમતીમાં શ્રી સુખ સાગર પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી પાસે અમે બેસી જ રહ્યાં હતા. મારી પાસે વર્ણન કરવા માટેના શબ્દો નથી. અમે નક્કી કર્યું છે કે દરવર્ષે બે વાર તો શંખેશ્વર અવશ્ય જવું જ....
“નટુભાઈ, આ તીર્થ અત્યંત જાગૃત છે તેમજ પરમ તારક તીર્થ છે. આ તીર્થની યાત્રાએ એકવાર ગયા પછી વારંવાર જવાનું મન થાય...”
‘દિલસુખભાઈ, મારી એક નમ્ર વિનંતી છે કે તમે અમને સેવા-પૂજા તથા ચૈત્યવંદન શિખવાડી દો...બીજીવાર શંખેશ્વર જઈએ ત્યાં સુધીમાં અમને તેનો અભ્યાસ થઈ જાય....'
એમજ થયું નટુભાઈ, રેખાબેન અને ઋત્વિક વગેરે શ્રી જિનેશ્વર ભગવંતની સેવા
શ્રી સુખસાગરજી પાર્શ્વનાથ
૧૧૫