SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ કરતાં આવડે નહિ. માત્ર દર્શન અને માળા કરી શકીએ...” ‘નટુભાઈ, પ્રભુ તો ભાવના ભૂખ્યા છે. શ્રધ્ધા અને ભક્તિ હોય એટલે બધું આવી ગયું. અને હા, બીજું ત્યાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિ વિહાર મહાપ્રાસાદ છે. આ જિનાલયમાં શ્રી ૧૦૮ પાર્શ્વ પ્રભુના તીર્થોની પ્રતિમાજી બિરાજમાન કરાયેલી છે. દરેક પ્રતિમાજી ભવ્ય અને નયન રમ્ય છે તેમાંય પંચાવનમી દેરીમાં બિરાજમાન કરવામાં આવેલી શ્રી સુખસાગર પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી અત્યંત પ્રભાવક છે. ત્યાં જઈને જે કોઈ સંકલ્પ કરે તો તેનો સંકલ્પ પરિપૂર્ણ થયા વિના રહેતો નથી.' ઓહ...તો તો આ અઠવાડિયામાં જ શંખેશ્વર જવાનો કાર્યક્રમ ગોઠવવો પડશે.” ‘અહીંથી સુરેન્દ્રનગરની બસમાં બેસી જવું અને સુરેન્દ્રનગરથી શંખેશ્વરની બસ મળી જાય છે.” ના...ના... અમે તો ટેક્સી કરીને જઈશું. ત્યાં બે દિવસ રોકાવાય તે રીતે જઈશું.” | ‘નટુભાઈ, તમે જરૂર જાવ, તમને ખૂબજ મજા પડશે.' દિલસુખભાઈ બોલ્યા. અને... બીજા અઠવાડિયે નટુભાઈ, રેખાબેન અને ઋત્વિક ટેક્સી કરીને શંખેશ્વર ગયા. તેઓ પ્રથમવાર જતા હતા. દિલસુખભાઈએ કહેલું કે શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં જ ઉતારો રાખજો. ત્યાં ધર્મશાળા સરસ છે. આથી તેઓ સીધા શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિ વિહારમાં આવ્યા. નટુભાઈએ ધર્મશાળાની એક રૂમ લીધી. નટુભાઈ રૂમમાં પલંગ પર આડે પડખે થતાં બોલ્યા! “અરે...અહીં તો મજા આવે તેવું વાતાવરણ છે...' હા..આ જગ્યા જ ખૂબ પવિત્ર છે...' રેખાબેને કહ્યું. થોડીવાર ત્રણેય આડે પડખે થયા પછી શ્રી ૧૦૮ પાર્શ્વનાથ જિનાલયના શ્રી સુખસાગરજી પાર્શ્વનાથ ૧૧૪
SR No.032665
Book Title108 Parshwanath Tirth Samput Part 02
Original Sutra AuthorN/A
AuthorPrashantshekharvijay
PublisherUgamraj Bhanvarlal Shahji
Publication Year2006
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy