SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ 1 સુરતને જેન ઇતિહાસ: દરેક પરામાં કેટલાં નાનાં ઘર-દેરાસર છે તે દરેક દેરાસરમાં કેટલી પાષાણની અને ધાતુની મૂર્તિઓ છે વગેરે ગણના પૂર્વક જણાવેલ છે. ૧૧૮. સં. ૧૭૯૪ ના આશ શુ. ર દિને સુરત મળે મુનિ ગણેશરુચિએ વિચારામૃત સંગ્રહ” ની પ્રતિ - લખી (હંસવિજય મું. વડોદરા પ્રત નં. ૧૨૧૬ ) ' ' ૧૧૯. અંચલગચ્છના ગણિ જ્ઞાનસાગરે (પછી ઉદયસાગરસૂરિએ) સુરતમાં ચોમાસું ગાવું ને ત્યાં ગોડી પાર્શ્વનાથની , સાનિધ્યે ગુણવર્મા રાસ સં. ૧૭૯૭ ના અષ હું શુદ ૨ ને દિને ગુજરાતી પદ્યમાં રચી પૂરો કર્યો તેની પ્રશસ્તિમાં નીચેની જે વાત નોંધેલી છે તે અત્રે ઉલ્લેખનીય છે – ' . સુરતના શ્રીમાલી સતિના સંધનાથે આબુ અને સિદ્ધાચલ (શત્રુંજય) ના સંધ કાઢી ઘણું દ્રવ્ય ખચ્યું. તેના પુત્ર કપૂરચંદ શાહે આચાર્યપદ અને ગચ્છનાયક પદના મહોત્સવ કર્યા ચોરાશી એટલે સર્વે ગ૭ને સાધમ ભાઈઓને અનેક પકવાનોથી જમાડયા અને હુંબડના (દિગંબરી) સ્વધર્મીઓને પણ સંતળ્યા. તેના પુત્ર શાહ ખુશાલચંદે અચંલગચ્છને આચાર્ય (વિદ્યાસાગરસૂરિ) નું ચોમાસું સુરતમાં કરાવી ઘણું દ્રવ્ય નવ ક્ષેત્રમાં વાપર્યું, ને તેણે સિદ્ધાચલની જાત્રા પણ કરી. આ વખતે પરવાડ વણિક જ્ઞાતિના શ્રાવક મહેતા ગેડીદાસ અને જીવણદાસ નામના બે ભાઇઓ ધર્મરાગી દાનવીર હતા, તેમજ ઓસવાલ નાતિમાં ધર્મચંદ્ર નામના શ્રાવક હતા કે જેણે ગુરૂના ઉપદેશથી ભારે ધામધૂમથી પ્રતિષ્ઠા કરાવી. વળી ધર્મના અભ્યાસી જેનાગમરૂચિ (હસશાના પુત્ર), ગુલાલચદ હતા કે જેના આગ્રહથી આ રસ બનાવ્યા. ' ', " ,
SR No.032631
Book TitleSuryapurno Suvarna Yug Yane Suratno Jain Itihas
Original Sutra AuthorN/A
AuthorKesharichand Hirachand Zaveri
PublisherMotichand Maganbhai Choskhi
Publication Year1939
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy