SearchBrowseAboutContactDonate
Page Preview
Page 390
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્રાટ્ સંપ્રતિની નેપાળ આદિ પૂર્વ પ્રાંતા પર ચઢાઇ ૩૩૩ એકંદરે કહેવાના સારાંશ એ છે કે આ કાળે તિબેટ અને ખાટાન પ્રદેશના રૂપિયે પંદર આની ભાગ તેમ જ નેપાળના રૂપિયે પાંચ આની ભાગ ઐદ્ધિધમી બન્યા હતા, જેમાં ચીન જેવા વિશાળ વસ્તીવાળા પ્રદેશે પૂર્ણ સાથ આપ્યા હતા. એટલે આ કાળે આ ભૂમિને આપણે ઔદ્ધધર્મ ભૂમિ તરીકે વર્ણવીએ તા અયેાગ્ય નહિ ગણાય. આબુના પહાડી પ્રદેશેામાં વિચરતા રાજ્યગુરુ શ્રીમદ્ શ્રી શાંતિવિજયજી મહારાજ કે જેએ ભારતના અનેક રાજા-મહારાજાઓનું ધર્મ ગુરુ તરીકેનુ બિરુદ પ્રાપ્ત કરવા ભાગ્યશાળી થયા છે તેઓને વર્તમાન નેપાળનરેશે પણ પાતાના રાજ્યના ધર્મગુરુનું પદ અર્પણુ કર્યું છે. પ્રાચીન કાળથી એટલે મહારાજા સંપ્રતિના રાજ્યામલ દરમ્યાનથી નેપાળનું રાજ્યકુટુંબ અને પ્રજા જૈનધર્મને અનુસરનારી હતી જેને અંગે વર્તમાન નરેશે પણ તેવી જ માનની દૃષ્ટિએ જોઇ પાતાના પૂર્વજોની કીતિ અમર કરી છે. X ચીનની ઐતિહાસિક દિવાલ— મહારાજા સંપ્રતિની ખાટાન આદિ પ્રદેશેાની જીતથી ગભરાઇ ચીન જેવા વિશાળ દેશના શહેનશાહ સીઘુવાંગને સમ્રાટ્ સ ંપ્રતિની ચીન ઉપર ચઢાઇની ધાસ્તી લાગી. પરિણામે તેણે તિબેટની સરહદથી લગાવી ચીનની સરહદ સુધીના પ્રદેશમાં એક કિલ્લેખ ધ મજબૂત દિવાલ માંધવાનું કામ હાથ ધર્યું, જેથી તિબેટથી ચીન આવવાના રસ્તા ઉપર કુદરતી પ્રતિબંધ રહે, આ દિવાલના આંધકામ પાછળ લગભગ ચાર લાખ કારીગરો રાત્રિદિવસ કામ ઉપર રીચા હતા. કામ કરનારાઓ ઉપર એટલે તેા કડક રાજ્યામલ હતા કે તેમાં વખતે કાઇ કામ કરવામાં ઢીલે। દેખાતા તા તેને દાખલે બેસાડવા ખાતર ત્યાં ને ત્યાં જ દેહાંત દંડની સજા કરવામાં આવતી. આ પ્રમાણે ચીનના શહેનશાહે લગભગ ત્રણથી ચાર વર્ષના ગાળામાં તિબેટથી ચીન જવાના ખુસકીમાર્ગ સદંતર બ ંધ કર્યો. X X X મહારાજા સંપ્રતિની હૃદયભાવના ખાટાન સુધીના પ્રદેશની જીત પછી સંતાષાઇ અને તેણે ચીન ઉપર આક્રમણ કરવાનું માંડી વાળ્યુ; કારણ કે એ પ્રદેશ ભારતના પ્રદેશોથી ભિન્ન જાતના અને માંસાહારી હતા. કે X X તુર્કસ્તાનના પ્રદેશા ઉપર ચઢાઇ— મહારાજા સ’પ્રતિને પેાતાના પહાડી વિજયી લશ્કરની મદદથી એશિયા માઇનારમાં આવેલ તુર્કીસ્તાનના મધ્યમાં જ્યાં તાસકદ, સમરકંદ અને મ શહેરા આવેલાં છે તે પ્રદેશેા સુધીના પ્રાંતા જીતવાની ઇચ્છા થઇ આવી, કારણ કે આ પ્રાંતા અત્યંત ફળદ્રૂપ હતા. મહારાજાએ ખાટાન સુધીના પ્રદેશેા ઉપર મજબૂત રાજ્યમ દાખસ્ત કરી, ત્યાં પેાતાના પ્રતિનિધિ રાખી, પોતે નેપાળ આવ્યા. ત્યાં થોડા સમય વિશ્રાંતિ લઇ લશ્કરી સુંદર ખળ
SR No.032628
Book TitleSamrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Original Sutra AuthorN/A
AuthorMangaldas Trikamdas Zaveri
PublisherKhengarji Hiraji Co
Publication Year1940
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy