________________
પૂજ્ય હેમચન્દ્રસાગરસૂરિજી : કેમ તેઓ નીચે ન આવે ?
પૂજ્યશ્રી ઃ તેમનો તેવો કલ્પ છે.
આવા ઉપકારી, કરુણાના સાગર ભગવાન આપણને નાથ તરીકે મળી ગયા, એ આપણું કેટલું મોટું સૌભાગ્ય ગણાય ? છતાં ભગવાનને મળવાનો સમય આપણને ઓછો મળે છે !
હવે હરિભદ્રસૂરિજીના શબ્દોમાં નાથનો અર્થ જોઈએ.
ભગવાન ભવ્ય જીવોના નાથ છે. સંસારી જીવોને સતાવનાર-સંતાપ ઊભો કરનાર રાગ-દ્વેષાદિ શત્રુઓ છે. રાગદ્વેષાદિ આપણી અંદર જ રહે છે. એટલે ઘણીવાર ખબર પણ ન પડે કે આચાર્ય ભગવંત કહે છે કે રાગાદિ કહે છે ? માટે જ માથે ભગવાન કે ગુરુ રાખવા જરૂરી છે. ઘણીવાર મોહ જ એમ સમજાવે : હું જ નાથ છું. પીડાના મુખ્ય કારણો ત્રણ છે: રાગ, દ્વેષ અને મોહ. તેનાથી ભગવાન ભવ્યાત્માને બચાવે છે. જેમનું બીજાધાનાદિ થઈ ગયું હોય તેવા જ ભવ્ય જીવો અહીં લેવાના. આદિથી ધર્મશ્રવણ આદિ લેવાના.
આવા ભગવાનને નાથ તરીકે સ્વીકારો એટલે બેડો પાર.
હેમચન્દ્રસૂરિજી કહે છે : હું દાસ છું. નોકર છું. કિંકર છું. સેવક છું.
આપ માત્ર “હા” કહો એટલે પત્યું !
હવે જો ભગવાન નાથ છે તો કોણ હેરાન કરી શકે ? સરકાર તમને સુરક્ષા આપે તો તમને ખતરો કોનો ? ખતરાને દૂર કરવાની જવાબદારી સરકારની છે. ભગવાન તો સરકારની પણ સરકાર છે. સરકારની સુરક્ષામાં તો હજુયે કચાશ હોય, અહીં જરાય કચાશ ન હોય.
બીજાધાન ન થયું હોય તેવાના જીવોના નાથ ભગવાન બની શકતા નથી.
દુનિયામાં ઘણાય નાથ બનવા જાય છે, પણ ભગવાન સિવાય નાથ કોણ બની શકે ?
અનાથી મુનિને શ્રેણિકે કહેલું : હું તમારો નાથ બનું
કહે, કલાપૂર્ણસૂરિ-૪
* *
* * * * * * * * * * * ૩૦