SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજાના પ્રભાવથી જ શ્રાવકના જીવનમાં ભક્તિ વધે છે. ભક્તિ વધતાં વિરતિ ઉદયમાં આવે છે. સાપવાળા ખાડામાં પડેલા બાળકને બચાવતી માતા (બાળકને ભલે ઈજા થાય કે ઊઝરડા પડે) દોષ-પાત્ર નથી, તેમ ગૃહસ્થોને દ્રવ્ય-પૂજા માટે ઉપદેશ આપનાર સાધુ દોષપાત્ર નથી. મહાદોષમાંથી બચાવવા અલ્પદોષ ક્યારેક જરૂરી બની જતો હોય છે. આદ્ય દેશવિરતિના પરિણામમાં જિન-પૂજા અને જિનસત્કાર કરવાની ભાવના પેદા થતી જ હોય છે. આ સત્ આરંભ હોવાથી ઉપાદેય છે. અસત્ આરંભથી બચાવના૨ છે. આ દ્રવ્યસ્તવમાં ‘દ્રવ્ય' નો અર્થ તુચ્છ નથી કરવાનો, પણ “ભાવ”નું કારણ બને તે – દ્રવ્ય એવો અર્થ કરવાનો છે. - અત્યારે દુકાળની એટલી ભીષણ પરિસ્થિતિ છે કે પાળીયાદમાં રૂપિયાથી પાણી વેચાય છે. પરિસ્થિતિ એવી પણ બને કે એક રૂપિયાનું એક ગ્લાસ પાણી મળે. આવા સંયોગોમાં આપણે પાણીનો ઉપયોગ ખૂબ જ સંભાળીને કરવા જેવો છે. આપણા ઘરડાઓ તો કહેતા : પાણીને ઘીની જેમ વાપરજો. - જૂના જમાનામાં શ્રાવકો વિદેશમાં કમાવા જતા તો ત્યાં સ્થાયી રહેતા નહિ. એકાદ ખેપ કરીને પાછા સ્વદેશમાં આવી જતા ને સંતોષથી ધર્મ-ધ્યાનપૂર્વક જીંદગી વીતાવતા. તેઓ જાણતા : આ જન્મ કાંઈ કામ-અર્થ માટે નથી, ધર્મ માટે જે આત્મા પૂજાથી રંગાય તે આગળ જતાં વિરતિથી રંગાય જ. મારા માટે તો આ વાત એકદમ સાચી છે. મને તો આ ચારિત્ર ભગવાનની પૂજા-ભક્તિના પ્રભાવથી જ મળ્યું છે, એમ હું માનું છું. નાનપણથી જ હું દેરાસરમાંથી બપોરે એક-દોઢ વાગે આવતો. મોડા આવવાની આદત આજની નથી. ત્યારે પણ મા-બાપ વાટ જોતા હતા. જો કે તેમને કોઈ તકલીફ ન્હોતી ૩૩૪ * * * * * * * * * * * * * ;
SR No.032616
Book TitleKahe Kalapurnasuri Part 04 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy