________________
પ્રવચન-પ્રભાવક પૂજ્ય આચાર્યશ્રી વિજય યશોવર્મસૂરીશ્વરજી મહારાજે સુરતમાં કહેલું : ‘પૂજ્યશ્રીની ભક્તિનો જોટો જડવો મુશ્કેલ છે.”
શ્રેણિકભાઈ (આણંદજી કલ્યાણજીની પેઢીના પ્રમુખ) પોતાના વક્તવ્યોમાં ઘણી વખત કહેતા હોય છે : “મને જૈન ધર્મમાં પ્રવેશ કરાવનાર આ પૂજ્યશ્રી છે. પૂજ્યશ્રીની નિશ્રામાં પ્રથમ જ વખત (વિ.સં. ૨૦૩૯) મેં સંવત્સરી પ્રતિક્રમણ કર્યું. પૂજ્યશ્રી પાસે નવ તત્ત્વ આદિના પાઠ શીખવા મળ્યા, એ મારા જીવનની ધન્યતમ પળો હતી.”
આવા તો અનેક અવતરણો આપી શકાય, જે આપવા અહીં શક્ય નથી.
નિર્મળ અને નિષ્કપટ હૃદયથી થયેલી ભગવાનની ભક્તિનો શું પ્રભાવ હોઈ શકે ? એનું ઉત્તમ ઉદાહરણ પૂજ્યશ્રી છે. પૂજયશ્રી ખરા અર્થમાં પરમાત્માના પરમ ભક્ત છે, જેમની ચેતના નિરંતર પરમ-ચેતનાને મળવા તલસી રહી છે, જેમના ઉપયોગમાં નિરંતર (ઊંઘમાં પણ) પ્રભુ રમી રહ્યા છે, જેઓ સર્વત્ર પ્રભુને જોઈ રહ્યા છે.
| આનંદઘનજી, યશોવિજયજી, દેવચન્દ્રજી કે ચિદાનંદજી વગેરે પ્રભુભક્ત મહાત્માઓને તો આપણે જોયા નથી, પણ આ પ્રભુ-ભક્ત મહાત્મા તો આજે આપણી વચ્ચે છે, એ આપણું ઓછું પુણ્ય નથી.
| પ્રભુ-ભક્ત કેવો હોય ? તેના લક્ષણો ગીતામાં સુંદર રીતે બતાવ્યા છે. સર્વ જીવોનો અષી, મિત્ર અને સૌ પર કરૂણાશીલ, નિર્મમ, નિરહંકાર, સુખ-દુ:ખમાં સમાન વૃત્તિવાળો, લોકો જેનાથી કંટાળે નહિ તથા જે લોકોથી કંટાળે નહિ તેવો, હર્ષ, ક્રોધ, ભય અને ઉદ્વેગથી રહિત, નિરપેક્ષ, પવિત્ર, દક્ષ, ઉદાસીન (ગમા-અણગમાથી પર રહેનાર), વ્યથા-રહિત, સર્વ આરંભનો પરિત્યાગ કરનાર, રાજી કે નારાજ નહિ થનાર, શોક કે ઈચ્છા નહિ કરનાર, શુભ-અશુભ કર્મોનો ત્યાગી, મિત્ર કે શત્રુ, માન કે અપમાન, ઠંડી કે ગરમી તથા સુખ-દુ:ખમાં સમાન વૃત્તિ રાખનાર, સંગ-રહિત, નિંદા કે સ્તુતિમાં સમાન વૃત્તિ ધારણ કરનાર, મૌન, ગમે તે પદાર્થથી સન્તુષ્ટ, ઘરરહિત, સ્થિર બુદ્ધિવાળો અને ભક્તિમાન્ માણસ મને (શ્રી કૃષ્ણને) ખૂબ જ ગમે છે.
अद्वेष्टा सर्वभूतानां मैत्रः करुण एव च । નિર્મમો નિરહંક્ષા:, સમ-સુર-:: ક્ષમી || ૨૪ //
यस्मान्नोद्विजते लोको, लोकान्नोद्विजते च यः । । हर्षामर्षभयोद्वेगैः मुक्तो यः स च मे प्रियः ॥ १५ ॥