________________
લખ્યું છે તેથી કોઈએ વ્યગ્રાહિત નહિ થવું.
ધ્યાન-વિચારની પણ એ જ રીતે એક જ પ્રત પાટણના ભંડારમાંથી અમૃતલાલ કાળીદાસ દોસીને મળેલી.
- બીજાધાન કરવું હોય તો પાપ-પ્રતિઘાત કરવો જરૂરી છે. પાપ પ્રતિઘાત કર્યા વિના બીજાધાન શી રીતે થઈ શકે ?
બીજાધાન વિના ગમે તેટલા આગળ પહોંચી જઈએ. (જૈનાચાર્ય બનીને ઠેઠ નવરૈવેયક સુધી) તો પણ વ્યર્થ છે. પૂ. દેવચન્દ્રજી કહે છે તેમ,
આદર્યો આચરણ લોક ઉપચારથી.
શાસ્ત્ર અભ્યાસ પણ કાંઈ કીધો; શુદ્ધ શ્રદ્ધાન વળી આત્મ-અવલંબ વિણ,
તેહવો કાર્ય તેણ કો ન સીધો.' બીજાધાનનો ઉપાય પાપ-પ્રતિઘાત છે.
પુદ્ગલનો ભોગવટો ચાલુ છે. છતાં આપણે ઈચ્છીએ છીએ : આપણે એમાંથી છૂટી જઈએ. હોટલમાં જઈને તમે જેટલો ઉપભોગ કરો તેટલું બીલ ચડવાનું. આપણને પુગલોનું બીલ નહિ ચડે ? આપણે પુદ્ગલોથી છુટવું છે કે એના જ ચક્રમાં ફસાવું છે ?
આવી સામગ્રી વારંવાર મળશે ? ભગવાન ગૌતમસ્વામી જેવાને વારંવાર કહેતા : “સમર્થ રોય ! મા પમાયણ !'
તો આપણા જેવાની શી હાલત ?
શુદ્ધ ધર્મની પ્રાપ્તિ પાપ કર્મના વિગમથી. પાપકર્મનો વિગમ (વિનાશ) તથાભવ્યતાના પરિપાકથી થાય.
* સાતત્ય, આદર અને વિધિપૂર્વક જ ધર્મ શુદ્ધ થઈ શકે.
તીર્થકરના આદર વિના તીર્થકરના ધર્મ પર આદર શી રીતે જાગશે ? બધાનું મૂળ ભગવાન પરનું બહુમાન છે. जइ इच्छह परमपयं, अहवा कित्तिं सुवित्थडं भुवणे । ता तेलुक्कुद्धरणे, जिणवयणे आयरं कुणह ॥
- અજિતશાંતિ.
૦૦
*
*
*
*
*
*
*
*
*
*
* * * કહે