________________
[પછી પોપટની વાર્તા થઈ નથી.]
* વધુ ન આવડે તો કાંઈ નહિ, એકાદ શ્લોક પણ ભાવિત બનાવીને જીવન જીવશો તો ખરેખર તમને પરમ પરિતોષનો અનુભવ
થશે.
* “ભો ફુન્દ્રમૂરે ! સુવપૂર્વ સમાતોગતિ ?' એમ કહીને ભગવાન પણ જો ઔચિત્ય સાચવતા હોય તો આપણે ઔચિત્યથી દૂર શી રીતે જઈ શકીએ ?
* ગુરુ પ્રસન્ન થઈને, અંતરના પરિતોષથી આપે તે જ વિદ્યા ફળે, ગુરુની અપ્રસન્નતાપૂર્વકની વિદ્યા કદી જ ફળતી નથી.
* સમસ્ત વિદ્યાના દાતા આચાર્ય ગુરુ મળવા મુશ્કેલ ! અને તે ઝીલનાર વિનયી શિષ્ય મુશ્કેલ... ! | ‘શ્રાદ્ધ શ્રોતા સુથર્વવત્તા...!” એમ કહેતા હેમચન્દ્રસૂરિજીએ આ જ વાત કરી છે.
* અહીં “શિક્ષક' શબ્દનો અર્થ “ભણાવનાર' નહિ, “ભણનાર' કરવો. મંદકષાયી આવા શિક્ષકો ઘણા દુર્લભ છે.
આપણી ઉદ્ધતાઈ કષાયોની ઉગ્રતા સૂચવે છે. તે જિન વીરે રે ધર્મ પ્રકાશિયો, પ્રબળ કષાય – અભાવ”
- યશોવિજયજી. અનંતાનુબંધી કષાય ન જાય ત્યાં સુધી ધર્મ ન જ આવે. આપણે અંતરાત્મામાં જોવાનું છે : “કષાયોની માત્રા વધુ છે કે ગુણોની ?'
ભક્તિ માપવા માટે દૂધની ઘનતા માપવા લેક્ટોમીટર, વીજળીનું દબાણ માપવા વોલ્ટમીટર, હવાનું દબાણ માટે બેરોમીટર, ગરમી માપવા માટે થર્મોમીટર. તેમ પ્રભુ-ભક્તિ માપવા માટે ચિત્ત પ્રસન્નતા.
કહ્યું કલાપૂર્ણસૂરિએ જ