SearchBrowseAboutContactDonate
Page Preview
Page 421
Loading...
Download File
Download File
Page Text
________________ તરવાનું શીખીને દરિયામાં કૂદકો મરાય. સીધા જ દરિયામાં કૂદકો ન મરાય. સીધા જ નિશ્ચયમાં ગયા તે ગયા જ. ડૂબી જ ગયા, માર્ગ-ભ્રષ્ટ બની ગયા. * સમક્તિના ૭ ભેદ બતાવ્યા છે. સડસઠ ભેદે જે અલંકરિયો, જ્ઞાન ચારિત્રનું મૂળ; સમક્તિ દર્શન તે નિત નમીએ, શિવપંથનું અનુકૂળ.” સમક્તિ જ્ઞાન અને ચારિત્રનું મૂળ છે. સમક્તિ આવ્યું એટલે સમજો : સત્ય માર્ગ મળી ગયો. જ્ઞાન ગમે તેટલું ભણો, ચારિત્ર ગમે તેટલું પાળો પણ મૃત્યુ વખતે સાથે સમક્તિ જ આવશે. ચૌદપૂર્વી હશે તો ૧૪ પૂર્વે ભૂલાઈ જશે, ચારિત્ર ચાલ્યું જશે, પણ સમક્તિ સાથે રહેશે. આત્માનો સહજ આનંદ, સમક્તિ દ્વારા જ અનુભવી શકાય આત્માથી દેહ, કર્મ, વિચાર વગેરે જુદા છે, પણ આનંદ જુદો નથી. એ આપણી સાથે જ રહે છે. એ આનંદને લાવી આપનાર સમક્તિ છે. આપણો પુરુષાર્થ એ આનંદને લાવવા માટેનો હોવો જોઈએ. * કુદેવ-કુગુરુ આદિને માનવા તે લૌકિક મિથ્યાત્વ પણ દેહને આત્મા માનવો તે લોકોત્તર મિથ્યાત્વ છે. * તમે ભગવાન ભગવાન કહો છો. આગમ, આગમની વાતો કરો છો, પણ આ જ ભગવાન છે. આ જ એમના આગમો છે. એની ખાત્રી શી ? એવા સવાલો ઘણા બુદ્ધિવીઓ ઊઠાવતા હોય છે. તેઓ કહે છે : આ આગમો તો ભગવાન પછી ૧000 વર્ષે લખાયા. આમાં ભગવાનનું શું રહ્યું ? પણ તેમને ખબર નથી કે આગમ લખનારા મહાપુરુષો અત્યંત ભવભીરૂ હતા. એક અક્ષર પણ આઘોપાછો નહિ કરનારા હતા. ક્યાંક અલગ પાઠ જોવા મળે તો લખે : કૃતિ પાઠાન્તરમ્ | કહ્યું, કલાપૂર્ણસૂરિએ જ ૪૦૧
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy