SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ આમાં મૈત્રી-ભાવના ઉત્કૃષ્ટ ઉદ્ગારો છે. મૈત્રી ભાવયુક્ત સાધક સદા અભય હોય. * બ્રહ્મચારીની પ્રશંસા દેવલોકમાં પણ થાય. સીતાજીની અગ્નિ-પરીક્ષા વખતે દેવો પણ જોવા આવેલા. અગ્નિની શી તાકાત કે એ મહાસતીને સળગાવી શકે ? જ્ઞાનના અધિષ્ઠાયક દેવ છે, તેમ બ્રહ્મચર્યના પણ અધિષ્ઠાયક દેવ હોય છે. તમારા બ્રહ્મચર્યના ગુણથી પ્રસન્ન થઈને તેઓ તમારું રક્ષણ કરે. સૂત્રોના પણ અધિષ્ઠાયક દેવો હોય છે. રાત્રે [કવેળાએ] ઉત્કાલિક સૂત્રનો પાઠ કરતા મુનિને એક દેવે છાસ વેંચનારીનું રૂપ લઈ સમજાવેલું. મુનિ : આ છાસ લેવાનો સમય છે ? દેવ ઃ આ સ્વાધ્યાય કરવાનો સમય છે ? મુનિ સમજી ગયા. રુષ્ટ થયેલા દેવ ઘણીવાર શરીરમાં રોગ વગેરે પણ પેદા કરી દે. * “વાવાઝું સન્નાયમ્સ મરણયા” * દિવસમાં ચાર વાર સક્ઝાય [સ્વાધ્યાય] ન કરો તો અતિચાર લાગે. આપણે માત્ર ધો મંત્ર ની પાંચ ગાથાથી પતાવી દઈએ છીએ. આઠ રોટલીની જરૂર હોય ને બે રોટલી આપવામાં આવે તો ચાલે ? એક એવા નિહનવ થયેલા, જે વસ્તુના છેલ્લા અંશમાં જ પૂર્ણતા માનતા. એક શ્રાવકે રોટલી, શાક, દાળ, ભાત વગેરેનો એકેક દાણો તથા વસ્ત્રોનું એક તંતુ વહોરાવીને એમને ઠેકાણે પાડેલા. રોટલીના કણથી પેટ ન ભરાય તો પાંચ ગાથાથી સ્વાધ્યાય શી રીતે પૂરો થયો ગણાય ? કહ્યું, ક્લાપૂર્ણસૂરિએ જ ૩૧૦
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy