SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ ગઇ. ગોચરી-પાણી-સંથારો વગેરે આવડી ગયું, પછી ભણવાની જરૂર શી ? એમ આપણે માની લીધું. શ્રાવકો પણ માત્ર પંડિત થવા જ ભણે છે. આત્માના લક્ષપૂર્વક ભણનારા કેટલા ?' “દ્રવ્યક્રિયારુચિ જીવડા રે, ભાવધર્મ રુચિ હીન; ઉપદેશક પણ તેહવા રે, શું કરે લોક નવીન ?” - પૂ. દેવચન્દ્રજી. સારામાં સારું ભોજન હોય, પણ અંદર રુચિ ન હોય તો ? સારામાં સારું તત્ત્વ હોય પણ અંદર પ્રેમ ન હોય તો ? આચાર્ય-પઠ * લાકડીઆ [ વિ. સં. ૨૦૨૮] માં ૧૦ પન્નાની વાચના હતી. સમાધિ-પન્નામાં સૌ પ્રથમ કહ્યું : તે પૂજ્ય આચાર્યોને નમસ્કાર હો, જેઓ અરૂપી સિદ્ધોને આપણને અહીં બતાવે છે. નહિ તો કોણ બતાવે આ પદાર્થો ? અરિહંતોએ માર્ગ બતાવ્યો, પણ અહીં સુધી એ માર્ગને પહોંચાડનાર કોણ ? પૂ. આચાર્ય ભગવંતો. આચાર્યોમાં ગુણ કેટલા? માત્ર ૩૬ નહિ. માત્ર ૩૬ ૪ ૩૬ = ૧૨૯૬ પણ નહિ. તેને લાખો ક્રોડોવાર તમે ગણો તેટલા ગુણો આચાર્યમાં છે,એમ ચંદાવિઝય પયજ્ઞામાં આવ્યું. * અરિહંત, સિદ્ધને નમસ્કાર કરવા જેટલું જ ફળ આચાર્યને નમસ્કાર કરવામાં છે. * પૂ. મલવાદીસૂરિજીનું નામ જ એવું હતું કે સાંભળતાં જ કુવાદીઓ ભાગી જતા. માટે જ કહ્યું : “પૂરી દૂરીવશુરાહા' * નવે નવ પદો આખરે આત્માને જાણવા, પામવા માટે જ છે, એ કદી ભૂલવું નહિ. અરિહંતોને પૂજા નથી જોઈતી. આચાર્યોને તમારા વંદન નથી જોઈતા, પણ તેઓ તમને પોતાના જેવા બનાવવા માંગે છે. માટે જ આટલો ઉપદેશ છે. ૧૩૪ જે કહ્યું, ક્લાપૂર્ણસૂરિએ
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy