________________
G18L
પ્રેમ-રસ પાને તું મોરના પિચ્છધર ! Seeds તત્ત્વનું ટૂંપણું તુચ્છ લાગે.’
ગમે તેટલી તત્ત્વોની વાત આવે તો પણ છેલ્લે ભગવાન કે ભગવાનની ભક્તિની વાત પૂજયશ્રીના પ્રવચનમાં આવી જ જાય.
વાચનાની આ પ્રસાદી વાચનારના હૃદયમાં પ્રસન્નતાનો પમરાટ ફ્લાવે, પ્રભુનો પ્રેમ પ્રગટાવે, તેવી અપેક્ષા છે.
કેટલેક સ્થળે ભક્તિ આદિ વાતોની પુનરુક્તિ થયેલી પણ જણાશે. અહીં પ્રશમરતિમાંની પૂજ્યશ્રી ઉમાસ્વાતિની વાત યાદ કરી લેવી :
વૈરાગ્ય, ભક્તિ આદિની વાત પુનઃ પુનઃ કરવાથી, સાંભળવાથી અને સમજવાથી જ તે અંતરમાં ભાવિત થાય છે. માટે વૈરાગ્યાદિમાં પુનરુક્તિ દોષ નથી.
यद्वद् विषघातार्थं मन्त्रपदे न पुनरुक्तदोषोऽस्ति । तद्वद् रागविषघ्नं पुनरुक्तमदुष्टमर्थपदम् ॥
प्रशमरति - १३
કેટલેક સ્થળે પૂજ્યશ્રીના આશયને સામે રાખી અમે અમારી ભાષામાં પણ આલેખન કર્યું છે.
પૂજ્યશ્રીના આશય-વિરુદ્ધ કાંઈ પણ આલેખાયું હોય તે બદલ હાર્દિક મિચ્છામિ દુક્કડં.
વાંકી તીર્થ (કચ્છ) વિ.સં. ૨૦૫૬
5
ગણિ મુક્તિયન્દ્રવિજય ગણિ મુનિયન્દ્રવિજય