________________
અભિમાન આવે જ નહિ.
* ગોચરી જનાર સાધુ પણ વગર બોલ્ય કેટલાયને ધર્મ પમાડી દે. એમની નિર્દોષ ચર્ચા અને નિર્વિકાર ચહેરો જ કેટલાય લોકોની ધર્મ-પ્રાપ્તિનું કારણ બની જાય.
શોભન મુનિની ગોચરી-ચર્યાથી જ ધનપાલ ધર્મ પામ્યો હતો. ગોચરી વહોરતા મુનિની નિર્વિકારતાથી જ ઇલાચી કેવળી બન્યા હતા.
પૂ. દેવેન્દ્રસૂરિજી મ.સા.નો સ્વાધ્યાય પ્રેમ જબ્બર ! કાચલી લઈને માત્ર કરવા જાય ત્યારે પણ સ્વાધ્યાય ચાલુ જ ! છેલ્લી જીંદગી સુધી ૩-૪ હજારનો પ્રતિદિન સ્વાધ્યાય કરતા. ૧૦૦-૧૦૦ ગાથાના સ્તવન - સઝાય તેમને કંઠસ્થ હતા.
પ્રતિક્રમણાદિ વિહિત ક્રિયા છે. મનને સ્થિર કરવાના એમાં ઉપાયો છે. એમાં રસ કેળવી જુઓ. ખૂબ જ આનંદ આવશે. - એક લોગસ્સ બોલતાં કેટલો આનંદ થાય ? મારા ભગવાન કેવા ? આખાય લોકમાં અજવાળું ફેલાવનાર ! ધર્મતીર્થ કરનાર !
ગણધરોએ જે સૂત્રોની રચના કરી એ કેવા પવિત્ર અને રહસ્યપૂર્ણ હશે ! આટલું જ વિચારો તોય કામ થઈ જાય.
તમે પ્રતિક્રમણમાં વેઠ વાળો છો. તમારી ક્રિયાને જોઈને લોકોને પણ થયું ? શું પડ્યું છે પ્રતિક્રમણમાં? ચડાવો અભરાઈ પર.
આપણી આનંદભરી ક્રિયાઓ જોઈને બીજાને સ્વયંભૂ પ્રેરણા મળવી જોઈએ.
૧૬
*
*
*
*
*
*
*
*
*
*
*
* * કહે