________________
“કહે કલાપૂર્ણસૂરિ' પુસ્તક હાથમાં લેતાંની સાથે જ પૂજ્યશ્રી સાત ચોવિશી ધર્મશાળામાં વાચના આપી રહ્યા હોય, તેવું દશ્ય ખડું થઈ ગયું.
- સા. ધમકીર્તિશ્રી
નિત્ય અડધો કલાક આ પુસ્તક વાંચવું એવો નિયમ કર્યો છે.
- સા. હર્ષદર્શિતાશ્રી
અભણ પણ પ્રભુ પ્રેમ પામી શકે - માત્ર વિદ્વાનોનો ઇજારો નથી. ખરેખર આ વાક્ય એટલું હૃદયસ્પર્શી છે કે મારા જેવા અલ્પબુદ્ધિવાળા માટે તો જાણે ડૂબતોને પાટિયું મળી ગયું.
- સા. હરક્ષિતાશ્રી
જ્યારે - જ્યારે સાહેબજીને સાંભળવા માટે આવ્યા હોઈશું છતાં પૂરેપૂરું ક્યારેય સંભળાયું નથી. તે આ પુસ્તક દ્વારા પૂરેપૂરું વાંચવા દ્વારા સંભળાઈ
ગયું.
- સા. હર્ષવર્ધનાશ્રી
કહે કલાપૂર્ણસૂરિ વાંચતાં સૌ પ્રથમ તો હૈયું ભરાઈ ગયું. પૂજ્યશ્રીની યાદ આવી ગઈ.
- સા. હર્ષિતપ્રજ્ઞાશ્રી
કોઈ પૂછે કે પૂજયશ્રીએ આ ગ્રંથમાં શું પીરસ્યું છે ? ત્યારે ખરેખર કહેવાનું મન થઈ જાય છે કે પૂજયશ્રીએ આ ગ્રંથમાં શું નથી પીરસ્યું ?
- સા. પુષ્પદંતાશ્રી
અમદાવાદ
અધ્યાત્મયોગી પૂ. ગુરુદેવ મળ્યા એ તો અમારું પરમ સદ્ભાગ્ય છે જ. પણ સાથે-સાથે ગુરુદેવની અમૃતમયી વાણીને ખંત અને ચીવટથી ઝીલીને શબ્દસ્થ કરીને ગુરુદેવને સાંભળેલા કે નહીં સાંભળેલા સર્વેને સત્સંગ કરાવનાર બંધુ બેલડી અમને મળ્યા, એ પણ અમારું પરમ પરમ સદ્ભાગ્ય છે.
- સા. પુણ્યરાશિથી
અમદાવાદ
કર૨
* * * * * * * * * * * * * કહે કલાપૂર્ણસૂરિ-૧