________________
ના
રોજ
1, વેસુ૧૨, વિ.સ. ૨૦૫૮
કારતક સુદ ૧૫ ર૩-૧૧-૧૯૯૯, મંગળવાર
પ્રગટ્યા આતમ-ધર્મ થયા સવિ-સાધન-રીત, બાધક - ભાવ ગ્રહણતા ભાગી જાગી નીત; ઉદય ઉદીરણા તે પણ પૂરવ નિર્જરાકાજ, અનભિસંધિ બંધકતા નીરસ આતમરાજ.’ | ૩૦ ||
• આ મૂર્તિ કાંઈ રમકડું નથી. એ સાક્ષાત પ્રભુનું રૂપ છે. ભક્ત એમાં પ્રભુને જ જુએ છે.
આગળ વધીને ભક્ત પ્રભુ-નામમાં પણ પ્રભુને જુએ છે. પ્રિય વ્યક્તિના પત્રમાં જેમ વાંચનાર, વ્યક્તિનું જ દર્શન કરે છે. તેમ પ્રભુ-નામમાં ભક્ત પ્રભુનું જ દર્શન કરે છે.
જગતના સર્વ-વ્યવહારો આપણે નામ અને નામીના અભેદથી જ ચલાવીએ છીએ, પણ અહીં જ, (સાધનામાં જ) વાંધો આવે છે. રોટલી બોલતાં જ રોટલી યાદ આવે છે. ઘોડો બોલતાં જ ઘોડો યાદ આવે છે. પણ પ્રભુ બોલતાં પ્રભુ યાદ નથી આવતા.
5 વ્યક્તિ દૂર છે કે નજીક એ મહત્ત્વની વાત નથી, એના પર કેટલું બહુમાન છે, તે જ મહત્ત્વની વાત છે.
કહે
*
*
*
*
*
*
*
*
*
* *
* ૫૮૧