________________
વાંચવો હોય એ ગ્રંથના કર્તાનો જાપ બહુમાનપૂર્વક કરવો. શાસ્ત્રકાર પર બહુમાન હોય તો જ એ શાસ્ત્રના રહસ્યો સમજાય. જેમના તરફ આપણું બહુમાન વધ્યું, તેમના ગુણો આપણામાં આવ્યા જ સમજો.
પૂર્વકાળમાં જીવનભર યોગોદ્ધહન ચાલુ રહેતા. ક્યારેય જ્ઞાન કે સ્વાધ્યાય બંધ જ નહિ ! એમને જ્ઞાન-ધ્યાન મુશ્કેલ હશે? મોક્ષ દૂર હશે ! આપણને તો જ્ઞાન-ધ્યાન એટલા આત્મસાત્ છે, મોક્ષ એટલો નજીક છે કે જાણે કાંઈ જ જરૂર નથી ! ન જ્ઞાનની ! ન ધ્યાનની ! ન બીજા કોઈ યોગની ! આપણે શૂરવીર ખરાને !
* નવકારનો જાપ એટલે અક્ષર દેહરૂપે રહેલા પ્રભુનો જાપ ! અક્ષરમય દેવતાનો જાપ !
તમારું નામ, તમારો ફોટો, તમારા ભૂત-ભાવિ પર્યાય દ્વારા તમે વિશ્વમાં કેટલા બધા ફેલાયેલા છો ? ભગવાન પણ નામાદિ ચાર રૂપે સમગ્ર વિશ્વમાં ફેલાયેલા છે. આપણા નામાદિ કલ્યાણકર નથી, ભગવાનના કલ્યાણકાર છે.
ભક્તને તો ભગવાનનું નામ લેતાં જ હૃદયમાં ભગવાન દેખાય છે. ઉપા. માનવિજયજી મ.સા. કહે છે : “નામ ગ્રહંતા આવી મિલે, મન ભીતર ભગવાન...” નામાદિ ચારેય પ્રકારે ભગવાન કઈ રીતે રહેલા છે ? જ્ઞાનવિમલસૂરિ મ.સા. ચૈત્યવંદનમાં કહે છે : “નામે તું જગમાં રહ્યો, સ્થાપના પણ તિમહી; દ્રવ્ય ભવ માંહિ વસે, પણ ન કળે કિમહી.” ભાવપણે સવિ એક જિન ત્રિભુવનમેં ત્રિકાળે. આનો અર્થ વિચારજો. હૃદય નાચી ઊઠશે.
. આત્મા જો વિભુ - (વ્યાપક) હોય તો કર્મબંધ શાનો ? કર્મબંધ ન હોય તો મોક્ષ કોનો ? મોક્ષ ન હોય તો આ કડાકૂટ શાની ? આવો પ્રશ્ન, એક ગણધરને જાગેલો. ભગવાને કહ્યું : આત્મા વિભુ જરૂર છે, પણ કેવળજ્ઞાન રૂપે. કેવળજ્ઞાનથી સંપૂર્ણ લોક-અલોકને જાણે છે. જ્ઞાનથી તેઓ સર્વત્ર વ્યાપક છે. આ દષ્ટિ નજર સામે રાખીશું તો સર્વત્ર વ્યાપીને રહેલા પરમાત્મા સદાકાળ દેખાશે.
૨
* * * * * * * * * * * * * કહે કલાપૂર્ણસૂરિ-૧