________________
કારતક સુદ ૯ ૧૭-૧૧-૧૯૯૯, બુધવાર
• ગુરુનો પરિવાર તે ગચ્છ. ત્યાં રહેનારને વિપુલ કર્મનિર્જરા થાય. કારણ કે ત્યાં વિનય વિકસે છે, સારણા-વારણાદિ મળે છે. તેથી દોષો દૂર થાય છે. તેમનો વિનય જોઈ નવા પણ તે શીખે. આથી તેની પરંપરા ચાલે. આ ખૂબ મોટો લાભ છે.
બીજાની આરાધનામાં કારણ બનવું અતિપ્રશસ્ત લાભ છે. (૧) સારણા - સ્મારણા = યાદ કરાવવું.
પડિલેહણ વગેરે કોઈ પણ વાત યાદ કરાવવી. વારણા – નિષેધ કરવો. અશુભ પ્રવૃત્તિથી બીજાને અટકાવવો. ચોયણા - ચોદના – પ્રેરણા. બીજાને ઉંચા ગુણસ્થાનકે ચડવા પ્રેરણા આપવી.
જે જે ગુણની યોગ્યતા દેખાય તેમાં પ્રેરણા આપવી. (૪) પડિચોયણા - પ્રતિચોદના - પ્રતિપ્રેરણા :
અયોગ્ય વર્તનથી ન અટકે તો તાડનાદિનો પણ પ્રયોગ કરવો.
*
*
*
*
* *
*
*
*
* *
૫૬૩