________________
અત્યાર સુધી ઈષ્ટ વસ્તુ મળતાં સુખ મળશે, એવી જે ભ્રમણા હતી તે આત્મા મળતાં જતી રહે છે. આત્મધન મળતાં આવા સુખો – ઈન્દ્ર - ચન્દ્રાદિના સુખો પણ રોગ લાગે. કારણ કે તેણે અંદરનું સુખ જાણી લીધું છે. આવા સાધકને દીનતા કદી ન હોય.
મારા આત્મ-ધનને કોઈ ચોરી શકશે નહિ, કોઈ રાજા પડાવી શકશે નહિ. કોઈ જબરદસ્તીથી આંચકી શકશે નહિ. પછી ભય શાનો ?
જે મારું છે તે જવાનું નથી. જે જાય છે તે મારું નથી. પછી ભય શાનો ?
૦૩ ગુરુદેવ જતા રહ્યા પણ ગુરુદેવને પ્રત્યક્ષ કરાવનાર
અણમોલ અદ્વિતીય જ્ઞાનનો ખજાનો આપે આ પુસ્તકમાં ભરી દઈને અમારા જેવા પર ઘણો ઉપકાર કર્યો છે.
- સા. મુક્તિપ્રભાશ્રી
નવસારી
પૂજ્યશ્રીએ ગુરુ બહુમાન વિષે બહુ સરસ ઉદ્બોધન કર્યું છે.
- સા. સંવેપ્રજ્ઞાશ્રી
અમદાવાદ
આ પુસ્તક વાંચવાથી બહુ જ પ્રસન્નતા મળી છે.
- સા. શ્રેયોજ્ઞાશ્રી
રાજકોટ
હું ઉપકાર માનું છું : પૂ. પંન્યાસજી મ.સા. અને પૂ. ગણિ મ.સા.નો કે જેમણે ગુરુના વિરહમાં ગુરુના અમૃતરૂપી વચનોનું સંકલન કરી સાક્ષાત ગુરુ સાથે મિલન કરાવી આપ્યું.
- સા. જિનાંજનાશ્રી
અમદાવાદ લઈ
પપ૬
=
=
=
•
=
=
=
=
=
=
=
* * કહે કલાપૂર્ણસૂરિ-૧
= કહે