________________
પુણ્ય સારા હોય તો કુલક્ષણા સાધનથી પણ માણસ કમાઈ લે, જેલમાં પણ કમાઈ લે, નસીબ માઠું હોય તો સુલક્ષણા સાધનથી પણ માણસ દરિદ્ર જ રહે, એવું બની શકે. પણ અહીં સુગુરુની નિશ્રા તમે જિનાજ્ઞાપૂર્વક સ્વીકારી તો ખરાબ થવાનો કોઈ જ ચાન્સ નથી. માટે શુભ ગુરુની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરવો જોઈએ.
સૌ પ્રથમ ગુરુ અને ગુરુકુળ કેવા ? તે જોવું જોઈએ. ગુરુ મહાન ગુણથી યુક્ત હોય.
જેમ મોટા ઉદાર શેઠ પાસે નોકરી કરતા હો ને એ શેઠનો તમારા પર પ્રેમ હોય તો ધીરે ધીરે તમે એની પાસેથી ઉધાર માલ લઈને ધંધો શરૂ કરો તો કેટલા માલંમાલ થઈ જાવ ?
તેમ જ્ઞાનદાતા ઉદાર ગુરુ મળી જાય તો કામ થઈ જાય.
આવા ગુર, મળવાથી યાદ રાખો કે ગુણનો યોગ થવાનો જ. ગુરુના ગુણો જોતાં જોતાં શિષ્યમાં પણ સંક્રાન્ત થવાના જ. વાંચવાથી ન આવે તે જોવાથી આવે. પૂ. પં. ભદ્રંકરવિજયજી મ. પાસે ત્રણ વર્ષ રહેવાથી એમના ગુણો પ્રત્યક્ષ જોવા મળ્યા. આથી ખૂબ જ ફાયદો થયો.
નવસારી – આદિનાથવાળા ત્રણ-ચાર વર્ષથી પ્રતિષ્ઠા માટે વિનંતિ કરતા રહ્યા. આખરે બેડામાં પૂજય પં. ભદ્રકવિ. એ એમને સમજાવી દીધા. પછી પૂ. સુબોધસાગરસૂરિજી પાસે પ્રતિષ્ઠા કરાવી.
પંન્યાસજી મ. પાસે રહેવાથી અમને ખૂબ જ ફાયદો
થયો.
ઉત્તમ શેઠને કોઈ ન છોડે તો ઉત્તમ ગુરુને શિષ્ય શી રીતે છોડે ? ગુરુકુલવાસીનો પુણ્ય અને ગુણનો ભંડાર ભરાતો જ ચાલે.
ગુરુ વિનય કરવાથી તે સાધુ બીજાને માર્ગદર્શક બને. તમારા દૃષ્ટાંતથી બીજાને પણ પ્રેરણા મળશે.
ગુરુકુલ – વાસ માર્ગ છે. કારણ કે જ્ઞાન દર્શન ચારિત્રની પ્રાપ્તિ અને પાલન ગુરુકુલવાસથી જ થઈ શકે.
* * * * * * કહે કલાપૂર્ણસૂરિ-૧