________________
નથી લાગતો. એનું આ જ કારણ છે.
અહીં ભાવપ્રાણોની હિંસા નથી. કારણ કે અહીં આત્મગુણોની રક્ષા કરવાનો ઉદ્દેશ છે. જો આમ માનવામાં ન આવે તો સાધર્મિક ભક્તિ, પ્રવચન-શ્રવણ ઈત્યાદિ એક પણ કાર્ય થઈ શકશે નહિ.
આત્મગુણ રક્ષણા તેહ ધર્મ, સ્વગુણ-વિધ્વંસના તેહ અધર્મ, ભાવ અધ્યાત્મ અનુગત પ્રવૃત્તિ, તેહથી હોય સંસાર-છિત્તિ ૧૭ .
બીજાના દ્રવ્ય પ્રાણોની જેમ ભાવ પ્રાણોની પણ રક્ષા કરવાની છે. એને ગુસ્સો ન આવે, વગેરેની પણ કાળજી રાખવાની છે, એવું આપણે સમજ્યા છીએ ખરા ?
આમ ભાવ અધ્યાત્મ અનુસારી પ્રવૃત્તિ શરૂ થાય ત્યારે જ સંસારનો છેદ શરૂ થાય.
દ્રવ્યથી ગુરુ-નિશ્રા મળી હોય તે નહિ, પણ ગુરુમાં ભગવદ્ બુદ્ધિ, તારક બુદ્ધિ પેદા થઈ તે યોગાવંચકપણું છે.
આવો આત્મા પ્રભુની વાણી સાંભળે, સદહે અને આચરે.
૦ મેઘકુમારનો જીવ હાથીમાંથી આવેલો. પ્રથમ જ દેશનાથી કેમ વૈરાગ્ય આવ્યો ? પૂર્વભવમાં જે સસલાની નિષ્કામભાવે દયા કરેલી તેના પ્રભાવે.
(૧) સંસાર પરિમિત કર્યો. (૨) મનુષ્ય જન્મ મેળવ્યો. (૩) તીર્થકર જેવા ગુરુ પ્રાપ્ત કર્યા.
આ ત્રણ વસ્તુ તેણે મેળવી લીધી. એમ ઉપદેશ-પદમાં પૂ. હરિભદ્રસૂરિજીએ કહ્યું છે.
આ અધ્યાત્માનુગત ક્રિયા કહેવાય.
૦ યથાપ્રવૃત્તિકરણને અવ્યક્ત સમાધિ કહી છે. અવ્યક્ત એટલા માટે કે હજુ સમ્યક્ત નથી મળ્યું.
» ગુણોની પ્રાપ્તિ હંમેશ ગુણોની અનુમોદના અને રુચિ દ્વારા જ થાય. એ પહેલા ગુણો બારણે જ ન આવે.
કહે કલાપૂર્ણસૂરિ-૧ * * * *
=
=
=
*
*
*
*
*
* * *
* ૫૩૯