________________
અબાધ સિદ્ધાંત : વચનાતિશય, અમર્ય પૂજ્ય : પૂજાતિશય.
આ ચાર વિશેષણો કલિકાલ સર્વશે આપ્યા છે. ગાથા ૧૯ :
છે માત્ર જ્ઞાનાદિની નહિ, પ્રભુ ! આપની સાથે મારે ઓતપ્રોત થવાની જરૂર છે.
ખેતરમાં પાક થઈ જાય પછી વરસાદની જરૂર નથી તેમ, આપની સાથે ઓતપ્રોત થઈ ગયા પછી આપની જરૂર નથી.
ગાથા ૨૦ : જ્ઞાન યથા...
રત્નનું તેજ કાચમાં ન આવે. પ્રભુ ! આપના જેવું કેવળજ્ઞાનનું તેજ બીજા દેવોમાં ન હોઈ શકે.
એક જ દેવ ઉપાસ્ય જોઈએ. એક સાથે ઘણા દેવદેવીઓની ઘણીવાર આરાધના કરીએ છીએ. આપણે ભલે બીજાનો અનાદર ન કરીએ, પણ સાથે સાથે સમકક્ષ પણ ન બનાવીએ.
અમેરિકા આદિમાં અરિહંતની મૂર્તિ સાથે બીજી અનેક મૂર્તિઓ જોવા મળે. તેઓ કહે : અમે તો બધાને માનીએ.
હું કહું : આમ અરિહંતની ભક્તિ ન થાય, ન ફળે. ગાથા ૨૧ : પૂ. આચાર્યશ્રી...
પ્રભુ ! આપને જોયા પછી કોઈ જોવા લાયક લાગતું નથી. મારું મન આ ભવમાં જ નહિ, ભવાંતરોમાં પણ બીજે નહિ ઠરે.
ગાથા ૨ ૨ : સ્ત્રીણાં...
* તારા અગણિત છે. સૂર્ય એક છે. પ્રભુ ! મારે મન તું એક છે.
પ્રભુની માતા છે : કરુણા... પ્રભુને હૃદયમાં લાવવા હોય તો કરુણા લાવવી પડશે.
ગાથા ૨૩ : પૂજ્યશ્રી...
પ્રભુ! મૃત્યુંજયી આપ જ છો. આપને પામીને લોકો મૃત્યુનો જય કરી શકે છે. પ્રભુ અજરામર છે. ભક્તને પણ અજરામર બનાવે. જરા - મૃત્યુના નિવારણથી જ અજરામર બની શકાય.
કહે કલાપૂર્ણસૂરિ-૧
* *
* * * * * * * * * * *
૧૦