________________
- લાકડું જડ છે, એ પોતાનો સ્વભાવ નહિ છોડે. પાણીમાં નાખશો તો પોતે પણ તરશે ને પોતાને વળગનારને પણ તારશે. જ્ઞાની પણ લાકડા જેવો છે. પોતે પણ તરે, અન્યને પણ તારે.
- ત્રણ પ્રકારના જીવો.
(૧) અતિપરિણત : ઉત્સર્ગ માર્ગ : બળેલી રોટલી. શક્તિથી પણ વધુ કરનાર.
(૨) અપરિણત : અપવાદ માર્ગ : કાચી રોટલી. શક્તિ જેટલું પણ નહિ કરનાર.
(૩) પરણિત : સમતોલ.પાકી રોટલી, શક્તિ પ્રમાણે કરનાર.
= કેવળી ભગવંતે જે જ્ઞાનથી જોયું, તેનાથી અન્યથા વિધાન કરવાથી જિજ્ઞાભંગાદિ દોષો લાગે છે. આ દોષ પ્રાણાતિપાતાદિથી પણ વધી જાય. કારણ કે અહીં ભગવાન પ્રત્યે અશ્રદ્ધા થઈ. પોતાની જાત કે પોતાની બુદ્ધિ પર શ્રદ્ધા થઈ, ભગવાન પર ન થઈ.
ભગવાન ભૂલ્યા' એ શબ્દ ક્યારે નીકળે ? મિથ્યાત્વનો ઘોર ઉદય હોય ત્યારે.
ભગવાન ભૂલ્યા' એવું વાક્ય જમાલિ ભગવાનની હાજરમાં બોલેલા. આભિનિવેશિક મિથ્યાત્વથી ગ્રસ્ત બન્યા.
ઉસૂત્ર પ્રરૂપણા જેવું કોઈ પાપ નથી.
પ્રશ્ન : બીજી (જૈનેતર) ધ્યાન પદ્ધતિમાં મિથ્યાત્વ લાગે ?
ઉત્તર : બીજી ધ્યાન પદ્ધતિ સ્વીકારવાનું મન ક્યારે થાય ? ભગવાન પર અશ્રદ્ધા થાય ત્યારે.
મારી પાસે બીજી ઘણી ધ્યાન-પદ્ધતિઓ આવી છે. મેં કદી તે તરફ નજર નથી કરી, કોઈને પૂછ્યું ય નથી. જે મળશે તે ભગવાન તરફથી જ મળશે, એવો વિશ્વાસ પહેલેથી જ હતો.
૦ યુગપ્રધાન આચાર્યશ્રી મંગુ અમુક ક્ષેત્રમાં રહેવાથી રસનાને પરાધીન બન્યા. રાત-દિવસ ખાવાનો જ વિચાર. ૫૦૬ = = * * * * * * * * * * * * કહે કલાપૂર્ણસૂરિ-૧
*