________________
બીજાને ભણાવશો એટલે તમે જ ફરી ભણશો. તમારું જ્ઞાન સુરક્ષિત બનશે. હું જે વાચનાદિમાં પદાર્થો કહું છું તે ટકે છે, બીજા ચાલ્યા જાય છે.
અહીં આપણે ૧૧૦ સાધુ-સાધ્વીજીઓ છીએ. ૧૫-૨૦ વૃદ્ધોને એક બાજુએ મૂકી દઈએ તો બીજા તો ભણે-ભણાવી શકે તેવા છે ને ?
આ રીતે જે ભણે-ભણાવે તેને શું મળે, જાણો છો ? તીર્થકર નામકર્મ પણ તે બાંધી શકે, એમ હરિભદ્રસૂરિજી કહે છે.
- ગુરુની ભક્તિ ન કરો તો ભગવાન ન મળે. ભગવાન મેળવી આપનાર ગુરુ છે.
ગુરુ ભક્તિના પ્રભાવથી જ પરમગુરુનો યોગ થાય છે. પંચસૂત્રમાં કહ્યું છે : ગુ - વિUI નોવFaો !' યોગદષ્ટિ સમુચ્ચયમાં કહ્યું છે : ગુરુભક્તિના પ્રભાવથી તીર્થકરનું દર્શન થાય. आयपरसमुत्तारो आणावच्छल्लदीवणाभत्ती । होइ परदेसिअत्ते अव्वोच्छित्ती य तित्थस्स ॥ ५६५ ॥ एत्तो तत्थयरत्तं सव्वन्नुत्तं च जायइ कमेणं । इअ परमं मोक्खंगं सज्झाओ होइ णायव्वो ॥ ५६६ ॥
- પંચવસ્તક અધ્યાત્મ ગીતા : નૈગમ નય અંશથી પણ પૂર્ણ માને. આઠ પ્રદેશો શુદ્ધ છે માટે બધા જીવ શુદ્ધ છે. વ્યવહાર નય ભેદ પાડે. સિદ્ધ શુદ્ધ છે. સંસારી અશુદ્ધ છે. અશુદ્ધના પણ ભેદો. અશુદ્ધપણે પણ-સય તેસઠી ભેદ પ્રમાણે, ઉદય વિભેદે દ્રવ્યના ભેદ અનંત કહાણ; શુદ્ધપણે ચેતનતા, પ્રગટે જીવ વિભિન્ન, ક્ષયોપથમિક અસંખ્ય, ક્ષાયિક એક અનંત. . પ ..
પ૬૩ સિવાય આગળ વધીએ તો અશુદ્ધ જીવોના અનંતા ભેદો પણ થઈ શકે.
કહે કલાપૂર્ણસૂરિ-૧
*
* * *
* * *
* *
* * ૪૯૩