________________
ગુરુ પણ ઘણીવાર શિષ્યનો નિગ્રહ કરે તે આ રીતે. તેને વધુ દોષથી બચાવવા. શિષ્યને ત્યારે ભલે ન સમજાય, પણ ગુરુના નિગ્રહમાં તેનું કલ્યાણ જ છૂપાયેલું હોય છે.
- સંયમ ઢાલ છે. તપ તલવાર છે. કર્મોના હુમલા વખતે આ તલવાર અને ઢાલ સાથે રાખવાના છે, તેનો ઉપયોગ કરવાનો છે.
યુદ્ધ મેદાનમાં રજપૂતો કેસરીયા કરીને તૂટી પડે. તેનો એક જ નિર્ધાર હોય : કાં વિજય મેળવીને આવીશ. કાં શહીદ બનીશ. કાયર નહિ બનું.
સાધકનો પણ આવો જ નિર્ધાર હોય તો જ કર્મ-શત્રુ પર જીત મળી શકે.
હવે હદ થઈ ગઈ. હવે મારે કર્મસત્તાના અંડરમાં રહેવું નથી જ. બહુ થઈ ગયું. અનંતો કાળ વીતી ગયો. હવે ક્યાં સુધી આ ગુલામી સહવી ?'
દંપતિયામિ, વાર્થ વા થયામિ ' “ર યા મને !' એમ વિચારીને સાધક કર્મ-કટક પર તૂટી પડે.
જ્ઞાન ભણવામાં, વેયાવચ્ચમાં, ધ્યાનમાં બધા જ અનુષ્ઠાનોમાં આવો ઉત્સાહ જોઈએ. તો જ તમે જીત મેળવી શકો. ઉત્સાહ વિના તપ થઈ શકે નહિ.
૪૮ લબ્ધિઓ તપથી જ પ્રગટે. પ્રશ્ન : અત્યારે કેટલી લબ્ધિ પ્રગટે ?
ઉત્તર : મુનિઓ એવા હોય કે લબ્ધિ પ્રગટે તો પણ કહે નહિ. લબ્ધિ દેખાડવાની ઈચ્છા હોય તેવાને લબ્ધિ ન પ્રગટે. અત્યારે પ્રગટતી નથી, કારણ કે એટલી નિઃસ્પૃહતા અત્યારે નથી રહી. શાસન-પ્રભાવનાના બહાના હેઠળ પણ અહંકારની પ્રભાવના જ કરવાની ઈચ્છા છુપાયેલી હોય છે.
અત્યારે તમે સંયમનું સારું પાલન કરો, એ પણ મોટી લબ્ધિ ગણાશે.
ભરતને નવ નિધાન વગેરે મળેલા તે પૂર્વજન્મમાં કરેલી વૈયાવચ્ચ રૂપ તપ સાધનાનું ફળ હતું.
૪૬૬
*
*
*
*
*
*
* *
*
* * * કહે