________________
ઈચ્છા ભલે ન હોય, પણ એ સ્વયં ઈચ્છારૂપ છે. આર્તધ્યાનના ૪ પ્રકારોમાં ઈચ્છા જ દેખાય છે ને ? ઈષ્ટ ન મળવું, અનિષ્ટ મળવું - આ બધું શું છે ? પેલાને ચેલા મળ્યા, મને ન મળ્યા, આ બધી ઈચ્છાઓ જ છે ને ?
૪ પર-પરિણતિ સાથે ખૂબ પરિચય કર્યો છે. સ્વ સાથે પરિચય કર્યો જ નથી. પ્રભુ સાથે કદી પરિચય કર્યો જ નથી. પ્રભુ આપણા છે એવું કદી લાગ્યું જ નથી. પ્રભુ માતા, પિતા, ભાઈ, બંધુ, ગુરુ, નેતા, અરે સર્વસ્વ છે, એમ અનુભવીઓ ભલે કહે, પણ એ આપણો અનુભવ બને ત્યારે કામ થાય.
• સ્વાધ્યાયમાં એકાગ્રતા આવી જાય એટલે ધ્યાન મળે.
ધ્યાનના બે પ્રકાર : (૧) ધર્મ ધ્યાન - સાલંબન ધ્યાન - મૂર્તિ આદિનું ધ્યાન. (૨) શુક્લ ધ્યાન – આત્માનું ધ્યાન – પરમ ધ્યાન.
પરમાત્મા સાથે એકતા કરાવે તે ધર્મ ધ્યાન. આત્મા સાથે એકતા કરાવે તે શુક્લ ધ્યાન.
ખરેખર આ સુંદર પુસ્તક (કહે કલાપૂર્ણસૂરિ) પરમાત્મ ૧ ભક્તિ માટે પુષ્ટ આલંબન છે.
- સા. મુક્તિનિલયાશ્રી : નવસારી
આ પુસ્તક વાંચીને મારા જીવનમાં પરમાત્મા પ્રત્યે અનહદ ભક્તિ ઉલ્લસિત બની.
- સા. દિવ્યગદ્ધિાશ્રી : પાલનપુર
અનાદિકાળથી પ્રભુ સાથે જે વિયોગ થયો છે તે પ્રભુનો સંયોગ કરી આપે તેવા યોગોનું આરાધન કરવાનું મન આ પુસ્તક વાંચવાથી થયું છે.
- સા. સલક્ષિતાશ્રી સુરેન્દ્રનગર
O૭.
કહે કલાપૂર્ણસૂરિ-૧
* * * * *
* *
* *
* * ૪૫૯