________________
આ તો ચામડાની આંખ છે. પણ શ્રુતજ્ઞાનની આંખથી તમે ઊર્ધ્વ લોકસ્થિત સિદ્ધોને, મધ્યલોકના મેરુ પર્વતને, અધોલોકની સાતેય નરકોને અહીં બેઠા-બેઠા જોઈ શકો છો.
સર્વ દ્રવ્ય - ક્ષેત્રાદિને શ્રુતજ્ઞાની જુએ, પણ પર્યાયનો અનંતમો ભાગ જ જુએ. જ્યારે કેવળજ્ઞાની સર્વ દ્રવ્ય, સર્વ પર્યાયો જાણે.
૦ આત્મા સ્વયં જ્ઞાનરૂપ છે. જ્ઞાનથી આત્મા ને આત્માથી જ્ઞાન જુદું નથી. તંતુથી વસ્ત્ર ને વસ્ત્રથી જેમ તંતુ જુદું નથી. ચારિત્ર પદ :
_ 'आराहिअ खंडिय सक्किअस्स,
નમો નો સંગમ વરિઅસ... ' - જ્ઞાનની જેટલી નિર્મળતા, ચારિત્રની પણ તેટલી જ નિર્મળતા સમજવી.
જ્ઞાન બીજ છે તો ચારિત્ર ફળ છે.
વૃક્ષની શોભા ફળથી છે. ફળ વગરનું વૃક્ષ વાંઝિયું કહેવાય તો ચારિત્ર વગરનું જ્ઞાન પણ વાંઝિયું નહિ ?
- ચારિત્ર એટલે સ્વભાવમાં સ્થિરતા. . 'अकसायं खु चारित्तं कसाय सहिओ न मुणी होइ ।' અકષાય એ જ ચારિત્ર, કષાયસહિત મુનિ ન હોય.
5 કષાય ચારિત્ર મોહનીય કર્મ છે. ચારિત્રાવરણીય કર્મની હાજરીમાં ચારિત્ર શી રીતે હોઈ શકે ? માટે જ કહું છું : જ્યારે તમે કષાય કરો છો, તે જ ક્ષણે ચારિત્ર ભાગી જાય છે.
ચારિત્રની ચોખ્ખી વાત છે : “જ્યાં કષાય હોય ત્યાં હું ન રહી શકું. તમારે કોને રાખવો છે ? કષાયને કે મને ?'
એક તરફ તમે કહો છો ? મારે સંસારમાં રહેવું નથી. ઝટપટ મોક્ષે જવું છે, ને બીજી તરફ તમે કષાય કર્યા કરો. આ શી રીતે ચાલે ?
કષ = સંસાર આય =લાભ
કહે :
ગ
=
=
*
*
*
*
*
*
* *
૪૪૦