________________
ભમરો પુષ્પ-રસ પીએ તેમ આચાર્ય પરમાનંદનો રસ પીએ છે, આથી જ તેઓ તાજા છે.
આચાર્ય સાધ્યમાં અત્યંત એકનિષ્ઠ હોય છે. ગમે તેવા વિપ્નોમાં પણ ધ્યેય-નિષ્ઠા છોડતા નથી.
- જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપમાં જેમ-જેમ વીર્ય ફોરવીએ તેમ તેમ આપણું વીર્ય વધે, ઘટે નહિ.
ચાલવાથી કદી પગ ટૂંકા થયા ? આજ સુધી કેટલા કિલોમીટર ચાલ્યા ? પગ ટૂંકા થયા ? આંખથી કેટલું જોયું ? આંખ ટૂંકી થઈ ? ગમે તેટલું કરો શક્તિ ઘટશે નહિ, પ્રત્યુત વધશે. ઉર્દુ કામ નહિ કરો તો શક્તિ ઘટશે.
ફૂલો ચૂંટવાનું બંધ કરો... કૂવામાંથી પાણી લેવાનું બંધ કરો... ગાય દોહવાનું બંધ કરો... શું થશે...? એ આપવાનું બંધ કરી દેશે. કામ કરવાનું બંધ કરો. તમે કટાઈ જશો.
ઘણા દાનવીરો કહે છે : “આપવાથી સંપત્તિ વધતી જ જાય છે. આ અમારો અનુભવ છે. એટલે જ અમે આપતા જ રહીએ છીએ...”
આ વિનિયોગનો આનંદ છે. વર છત્રીશ ગુણે કરી સોહે, યુગ-પ્રધાન મન મોહે; જગ બોહે ન રહે ખિણ કોહે, સૂરિ નમું તે જોવે.'
યુગપ્રધાન સ્વરૂપ આચાર્ય ૩૬ ગુણથી શોભતા હોય છે, જગતને પ્રતિબોધતા રહે છે. ક્ષણ પણ ગુસ્સો કરતા નથી.
નિત્ય અપ્રમત્ત ધર્મ ઉવએસે, નહિ વિકથા ન કષાય; જેહને તે આચારજ નમીએ, અકલુષ અમલ અમાય.”
આચાર્ય અપ્રમત્ત થઈ ધર્મ-દેશના આપે છે. નિંદા કે કષાયની વાત નથી.
તેઓ નિર્માયી, નિર્મળ અને નિષ્કલંક છે.
જે દીએ સારણ-વારણ... આચાર્ય શિષ્યોને સારણા-વારણાદિ દ્વારા સન્માર્ગે લાવે.
૪૪
*
*
*
*
*
*
*
*
*
*
* * * કહે.