________________
ભગવતી સૂત્રમાં કહ્યું છે :
अथित्ते अत्थित्तं परिणमइ । नत्थित्ते नत्थित्तं परिणमइ ।
બધા દ્રવ્યો પોતાની મર્યાદામાં જ રહે. પુદ્ગલ ભલે આપણને વળગેલું છે, પણ પુદ્ગલ સાથે ભેળ-સેળ કદી ન થાય. આત્મા પુદ્ગલ ન બને, પુદ્ગલ આત્મા ન બને.
આ વાત સમજતા નથી માટે જ ભયભીત છીએ. આ વાત આપણે હવે નહિ સમજીએ તો ક્યારે સમજીશું ? ક્યાં સુધી તત્ત્વજ્ઞાનથી હીન રહીશું ?
દ્રવ્યક્રિયારુચિ જીવડા રે, ભાવ ધર્મ રુચિ હીન ? ઉપદેશક પણ તેહવા રે, શું કરે લોક નવીન ?
પૂ. દેવચન્દ્રજી શું કરીએ ? કાળ જ એવો છે, એમ કાળ પર પણ દોષ ન આપો. એ આત્મવંચના હશે !
૪૧૬
गइ काले पुस्तक 'कहे कलापूर्णसूरि' डोकटर राकेश मारफत मळी गयुं छे. हुं ते मंगाववाना प्रयत्नमां हतो... अने आवी गयुं. बहु आनंद थयो.
-
पूर्वे बीजानी मारफत अत्रे आवेल ए पुस्तक अत्रे मने मळेल. अने लगभग ते हुं पूर्णपणे वांची गयो छु. भरपूर प्रसन्नता थइ छे. साधुसमाचारीनी वातो / अने पूज्यश्रीना मुखेथी वहेती वाणी खूब असरकारक बनी रहे छे. मने घणुं गम्युं छे. रुबरु मळ्या तुल्य आनंद थयो छे. आ काळमां पूज्य पंन्यासजी महाराज बाद पूज्य आचार्य भगवंत खूब श्रद्धेय व्यक्ति छे,
*
तमो गणिवरोए खूब श्रम करीने पुस्तक तैयार कर्तुं छे. धन्यवाद छे.
मुनि जयचन्द्रविजय
સુરત.
-
* * કહે કલાપૂર્ણસૂરિ-૧