________________
नया मंदिर ट्रस्ट,
પત્ની-પ્રજ્ઞેળ, મદ્રાસ, માય સુ. ૧૨, વિ.સં. ૨૦૧૨
આસો સુદ ૧ ૧૦-૧૦-૧૯૯૯, રવિવાર
ઉત્તમ ધૃતિ, ઉત્તમ સંઘયણવાળા માટે શ્રમણધર્મ છે, અન્ય માટે શ્રાવકધર્મ છે.
362
સમ્યગ્ દર્શન પહેલા તીર્થંકરના ભવની પણ ગણત્રી નથી કરવામાં આવી તો આપણી તો વાત જ ક્યાં કરવી ?
આપણા સૌનો ભૂતકાળ આવો એક સરખો છે ઃ અનંતા દુઃખોથી ભરેલો. હવે જો અહીં પ્રમાદ કરીશું તો એ ભૂતકાળ ફરીથી મળશે. એ જ દુઃખોમાં રીબાવું પડશે. પુનઃ પુનઃ તે જ સ્થાનોમાં, તે જ ભાવોમાં જવું તે જ ચક્ર છે. સંસાર ચક્ર જ છે. ઉત્તમ ક્ષમા, ઉત્તમ મૃદુતા, ઉત્તમ ઋજુતા, ઉત્તમ સંતોષ મળે ત્યારે જ શુક્લ ધ્યાનના અંશની ઝલક મળી શકે. ૧૧મા ગુણઠાણાવાળા પણ પડીને નિગોદમાં જઈ શકે તો આપણાથી, મળ્યું છે તેટલામાં સંતોષ માનીને પ્રમાદમાં કેમ પડી શકાય ?
અપ્રમત્તપણે સતત આત્મનિરીક્ષણ કરતા રહો. માયા કેમ થઈ ? અભિમાન ક્યાંથી આવ્યું ? ગુસ્સો કેમ
* * કહે કલાપૂર્ણસૂરિ-૧