________________
હવે કેવા સંસ્કારો નાખવા છે ? તે તમારે વિચારવાનું છે.
આ તીર્થમાં ઉત્તમ ભાવો પ્રભુના પ્રભાવથી ઉત્પન્ન થાય છે. એ ભાવો સદા ટકી રહે. જન્મ-જન્માંતરમાં સાથે ચાલે, તેને “અનુબંધ' કહેવામાં આવે છે.
નહિ ઉભા થયેલા શુભ ભાવોને પ્રભુ ઊભા કરે છે. ઊભા થયેલા ભાવોને ટકાવે છે. માટે જ પ્રભુ નાથ છે. પ્રાપ્તિ અને સુરક્ષા કરાવી આપે તે નાથ કહેવાય છે.
મળેલા ગુણોનું સંવર્ધન અને સુરક્ષા પ્રભ-નિર્દિષ્ટ ક્રિયાઓના પાલનથી થાય છે. કારણ કે અત્યારે આપણા ગુણો લાયોપથમિક ભાવના છે.
વેપારી, જે દિવસે કમાણી ન થાય તે દિવસ વાંઝિયો ગણે, તેમ જે દિવસે શુભ ભાવની, ગુણની કમાણી ન થાય તે દિવસને વાંઝિયો ગણજો.
- “સ્વ-પત્મિઘોઘઃ' આ ભક્તિની શોભા છે. “સ્વ” અને “પર' એટલે ?
“સ્વ” એટલે હું અને “પર” એટલે તું ? માત્ર કુટુંબીજન ? નહિ, “સ્વ” એટલે આત્મા અને “પર' એટલે બીજી આખી દુનિયા – જડ-ચેતન બધું જ.
જડ-ચેતનનો સાચો બોધ ત્યારે જ ગણાય, જ્યારે બધા જ સાથે ઉચિત વર્તન થાય. એ જ કરૂણા છે, એ જ અષ્ટપ્રવચન માતા છે. તીર્થકરની અને આખા જગતની માતા એક જ છે : કરુણા !
• દ્રવ્યકર્મ ભાવકર્મ અને નોકર્મ કર્મના આ ત્રણ પ્રકારો છે.
દ્રવ્યકર્મ તે કાર્મણ વર્ગણા, ભાવકર્મ તે રાગદ્વેષ અને નોકર્મ તે શરીર-ઇન્દ્રિયો છે.
આ ત્રણેય કર્મોથી મુક્તિ પ્રાપ્ત કરવાની છે.
- વિરતિધરોમાં યોગ વ્યક્તરૂપે હોય છે. સમ્યગૂ દૃષ્ટિ વગેરેમાં યોગનું બીજ હોય છે. માટે જ યોગના ખરા અધિકારી વિરતિધરો મનાયા છે.
- TUપર્યાયવત્ દ્રવ્ય | આપણું આત્મદ્રવ્ય કેવું છે ? કહે કલાપૂર્ણસૂરિ-૧ * * * * * * * * * * * * * ૩૫૯