________________
ભગવાન કૃષ્ણ છે. કારણ કે કર્મોનું કર્ષણ કરે છે.
ભગવાન રામ છે. કારણ કે આત્મ સ્વરૂપમાં સતત રમણ કરે છે.
લોક કરતાં અનંતગણો અલોક છે. તેવા અનંત લોક + અલોકોને ઉપાડી ક્યાંય ફેંકી દે, એવી શક્તિ પરમ આત્માના એક આત્મપ્રદેશમાં છે.
વારંવાર બોલાતા દેવ-ગુરુ પસાયનો અર્થ શો ? એ જ કે કાંઈ થયું છે તેમાં ભગવાનની કૃપા છે. મારું કશું નથી. આપણે વારંવાર આ શબ્દ બોલીએ તો છીએ, પણ જીવન સાથે તેનો કોઈ સંબંધ રાખ્યો નથી. દરેક કાર્યોની સફળતામાં દેવ-ગુરુ યાદ આવે ખરા ? સાચું કહેજો.
- સાહિબ સમરથ તું ધણી રે, પામ્યો પરમ આધાર; મન વિશરામી વાલો રે, આતમ ચો આધાર.
આત્માના આધારરૂપ, મનના વિશ્રામરૂપ, પરમ આધારરૂપ સમર્થ સાહેબ જિનેશ્વર દેવના દર્શન કર્યા એટલે સર્વના દર્શન કર્યા. એ દર્શન થયા પછી T.V. વગેરે જોવાનું મન થાય ? T.V. જોવાનું મન થાય તો સમજજો : હજુ ભગવાનને જોયા જ નથી. (ટી.વી.ની બાધા અપાઈ)
* અભય, ગુણપ્રકર્ષવાળા અને અચિત્ય શક્તિમાનું ભગવાન છે. પણ એથી બીજાને શો લાભ ? ભગવાન પરોપકારના સ્વભાવવાળા પણ છે. આપણી જેમ સ્વાર્થમાં જ મસ્ત થઈને રહેનારા પ્રભુ નથી.
આપણને જેમ ચા આદિનું વ્યસન છે તેમ પ્રભુને પરોપકારનું વ્યસન છે. પ્રભુનો સંગ કરીએ તો એમનું વ્યસન આપણામાં ન આવે ? દારૂડીઆ સાથે રહેતો માણસ દારૂનો વ્યસની બને તો પ્રભુનો પ્રેમી પરોપકાર-વ્યસની ન બને ? ન બને તો સમજવું ઃ પ્રભુનો સંગ થયો જ નથી.
- અભિમાન મહાન માણસને પણ નીચે પછાડે છે.
૩૫૬
* *
*
*
* *
*
* *
* * કહે.