SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ ભોજન સમયે સાધુ જરૂર પ્રમાણે જ આહાર લે. સારી ચીજ જોઈને વધુ ન લે. હા... આહાર વધી ગયો હોય ત્યારે લઈએ તો નિર્જરા થાય, સહાયતા કરી કહેવાય. કોઈક સાધુને રૂક્ષ આહારથી કે કોઈ સાધુને સ્નિગ્ધ આહારથી અનુકૂળ આવતું હોય છે. જે રીતે સંયમ-નિર્વાહ થાય તે રીતે વર્તવું. સાધુ સર્પની જેમ સ્વાદ લીધા વના કોળીયો ઉતારે. પીપરમીંટની જેમ આહાર આમ તેમ મુખમાં ફેરવે નહિ. એક સેકન્ડ પણ રાગ-દ્વેષ ન આવી જાય, તે માટે ભગવાને કેટલી કાળજી રાખી છે ! ભોજન કરવાના ઉદાહરણો : (૧) વ્રણ લેપ : (૨) પૈડામાં તેલ : (૩) પુત્રનું માંસ : (ચિલાતી પુત્રની પાછળ પડતી વખતે પુત્રી સુસમાનું માંસ ખાતા પિતાની મનોદશા કેવી હશે ?) ભોજનનો ક્રમ : પ્રથમ સ્નિગ્ધ મધુર, પિત્તના શમન માટે, બુદ્ધિ વગેરે વધે માટે. પછી ખાટા પદાર્થો, છેલ્લે તુરા-કડવા પદાર્થો. ભોજનના આ ક્રમનું કારણ એ પણ છે કે પાછળથી સ્નિગ્ધ પદાર્થો વધે, પેટ ભરાઈ ગયું હોય તો સ્નિગ્ધ પદાર્થો પરઠવવા પડે. માટે જ પ્રથમ સ્નિગ્ધ મધુર પદાર્થો આરોગવા. ભોજનના વખાણ કરતા વાપરીએ તો અંગાર દોષ. નિંદા કરતા વાપરીએ તો ધૂમ્ર દોષ લાગે. ભોજનની ત્રણ પદ્ધતિઓ : કટ છેદ (ખીચડી વગેરેમાં), પ્રતર છેદ (રોટલી વગેરેમાં) સિંહ ભક્ષિત (પાત્રામાં જેમ પડ્યું હોય તેમ જ વાપરવું) ત્રણ પદ્ધતિએ વાપરવાનું છે. સારામાં સારા પદાર્થો હોય તેમાં આસક્તિ ન થાય માટે બાર ભાવના આદિથી મનને ભાવિત બનાવવું જોઈએ. આહારના છ કારણો : ૨૦૬ * * * * * * * * * * * કહે
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy