________________
૧૨ સીક્ષા પ્રસંગ, (૪) - વિ.સં. ૨૦૨૮, માપ શુ. ૧૪., વિ. ૨૨-૨-૨૨૦૨
plz
શ્રાવણ વદ ૦)) ૦૯-૦૯-૧૯૯૯, ગુરુવાર
‘નામ ગ્રુહંતા આવી મિલે, મન ભીતર ભગવાન....' પ્રભુ નામ-મંત્રનું મૂર્તિનું સ્મરણ દર્શન ક૨વાથી પરમાત્માના કેવલજ્ઞાનાદિ ગુણોનું ધ્યાન કરવાથી સાક્ષાત્ જાણે પ્રભુ સામે ઉભા હોય, ભક્તને બોલાવતા હોય એવા અનુભવો થાય છે.
ભક્તને થાય : આ સ્વપ્ર છે કે શું ? દેખાતા ભગવાન મારા હૃદયમાં પ્રવેશ પામી ગયા છે. ભગવાન જાણે મને બોલાવતા હોય ! અંગે અંગમાં વ્યાપી ગયા હોય તેવા અનુભવો થયા છે, આવા અનુભવો પ્રતિમાશતકમાં યશોવિજયજીએ બતાવ્યા છે.
શું આ વાત સત્ય હશે ? વીતરાગ, સિદ્ધશિલામાં રહેલા ભગવાન આ કાળમાં કઈ રીતે આવી શકે ?
મોક્ષમાં ગયેલા ભગવાન જૈનોના મતે તો નીચે આવે નહિ. રામ, કૃષ્ણ, શંક૨ વગેરે દર્શન આપે પણ વીતરાગ કેમ દર્શન આપે ? સાથે ઉપા. યશોવિજયજી મ. જેવા પ્રખર
કહે કલાપૂર્ણસૂરિ-૧ * *
૨૫૯