________________
ધર્મ અને ધર્માચાર્ય જીવવાનું અને જીવાડવાનું શીખવે છે.
આજનો જમાનો વિચિત્ર છે. માણસ સ્વયં જીવવા માંગતો નથી, બીજાને જીવાડવા માંગતો નથી.
બીજાને મારવાના પ્રયોગો આપણા જ મૃત્યુને નોતરે છે; આ જ ભવમાં પણ.
મચ્છર, કીડી વગેરે મારવાની દવા ? દવા તો જીવાડે; દવા મારે ? દવા મારે તો જીવાડશે કોણ ?
કીડી વગેરેને મારવાના ચોક વગેરેનો કદી ભૂલમાં પણ પ્રયોગ નહિ કરતા. સૂક્ષ્મજંતુને જે નુકશાન કરે તે કંઈક અંશે માનવીને પણ નુકશાન કરે જ.
• વિશ્વાચો જ પ્રમારિપુ: | આરાધનામાંથી શ્રુત કરનાર છે : પ્રમાદ - શત્રુ. મોહનો તો જ વિજય થાય જો આપણે પ્રમાદમાં પડીએ.
મદ્ય, વિષય, કષાય, નિદ્રા, નિંદા (વિકથા) આ પાંચ પ્રમાદ છે.
અજ્ઞાન ૧, સંશય ૨, મિથ્યાજ્ઞાન ૩, મતિ ભ્રંશ ૪, રાગ ૫, દ્વેષ ૬, ધર્મમાં અનાદર ૭ અને યોગોમાં દુપ્રણિધાન ૮ આ આઠ પ્રમાદ ભગવતીમાં બતાવ્યા છે.
બધા પ્રમાદો અજ્ઞાનમાંથી પેદા થાય છે. માટે અજ્ઞાન સૌ પ્રથમ મૂક્યો. અનંતકાળ એકેન્દ્રિયમાં કાઢ્યો છે ને ! તીવ્ર અજ્ઞાન - તીવ્ર મોહ છે ત્યાં.
છીપ છે કે ચાંદી ? એ “સંશય', વિપરીત જ્ઞાન તે મિથ્યાજ્ઞાન', છીપમાં ચાંદીની બુદ્ધિ.
પુદ્ગલમાં ચેતનનો ભ્રમ, આ જ અવિદ્યા છે. અનિત્યમાં નિત્ય, અપવિત્રમાં પવિત્ર, અચેતનમાં ચેતનબુદ્ધિ તે અવિદ્યા. શરીર અનિત્ય, અપવિત્ર, અચેતન છે છતાં આપણી બુદ્ધિ ઉલ્ટી છે.
મતિભ્રંશ' - બુદ્ધિની ભ્રષ્ટતા, મિથ્યાજ્ઞાનનું આ ફળ છે. સમ્યત્વથી મિથ્યાત્વ જાય, મતિભ્રંશ પણ જાય, પણ હજુ “રાગ-દ્વેષ' ઉભા રહે. ધર્મમાં “અનાદર' પણ ઉભો રહે. મનવચન-કાયા બરાબર ન જોડાય તે પણ પ્રમાદ છે.
૨૪૪
*
*
*
*
*
*
*
*
*
*
*