________________
ભગવાન ન પધારે ત્યાં સુધી દીક્ષાની વિધિનો પ્રારંભ પણ થતો નથી. સ્થાપના તીર્થકરની આ વાત છે. તો પછી ભગવાન આપણા હૃદયમાં ન આવે તો સાધનાનો પ્રારંભ શી રીતે થાય ?
સ્થાપના દ્વારા કે નામ દ્વારા આખરે તો આપણે ભાવ - તીર્થકરની જ સ્તુતિ કરવાની છે. પોસ્ટકાર્ડના એડ્રેસમાં તમે વ્યક્તિનું નામ લખો છો. મતલબ નામથી નથી, વ્યક્તિથી છે અને એ PC. મૂળ વ્યક્તિને પહોંચી જ જાય છે.
નામ કાંઈ ઓછી વાત નથી. તમારી ગેરહાજરીમાં પણ બેન્ક આદિમાં લેવડ-દેવડ તમારા નામથી થાય જ છે ને ?
ભગવાન જેમ બોધિ આપે તેમ તેમની મૂર્તિ અને નામ પણ બોધિ અને સમાધિ આપે. જુઓ લોગસ્સ.
‘માર-વાહિત્નામં સમાવિર - મુત્તમં રિંતુ ' પૂર્ણ આરોગ્ય એટલે મોક્ષ. તે બોધિ અને સમાધિથી મળે છે. માટે પ્રભો ! મને બોધિ અને સમાધિ આપો.
આ ગણધરોની સ્તુતિ છે.
ભગવાનની ભક્તિથી દિવસે-દિવસે ચારિત્રાવરણીય કર્મ કપાય છે ને પછી એક દિવસ આત્માનુભૂતિ થાય છે.
આથી જ સાચો ભક્ત ભગવાનને કદી ભૂલતો નથી. નિશદિન સૂતાં જાગતાં, હૈડાથી ન રહે દૂર રે; જબ ઉપકાર સંભારીએ, તબ ઉપજે આનંદ પૂર રે...'
- પૂ. યશોવિજયજી ભક્તિ દ્વારા ધર્મનો અનુબંધ પડે છે, જેથી તે ભવાંતર પણ સાથે ચાલે છે.
ક્ષયોપશમભાવની શુદ્ધિ વૃદ્ધિ દિન-પ્રતિદિન થતી રહે છે. વચ્ચે જો તૂટી જાય તો ? ૧૦ દિવસ વેપાર બંધ રાખો તો ?
સતત ધર્મ કરવો જોઈએ; જો એને શુદ્ધ અને સાનુબંધ બનાવવો હોય. ધર્મનો સાતત્ય-ભાવ જ એમાં મુખ્ય અંગ છે, એમ પંચસૂત્રમાં લખ્યું છે. કદી ભક્તિની ધારા તોડો નહિ.
માંદગી વખતે (મદ્રાસમાં) મારી ભક્તિની ધારા તૂટી ગયેલી. ફરી તેવા ભાવ જગાવતાં છ મહિના લાગેલા.
૧૩૨
* * * * * * * * * * * * * કહે કલાપૂર્ણસૂરિ-૧