________________
મુક્તિચન્દ્ર વિ.ના બા ભમીબેનને જોઉં ને એ યાદ આવે ! આકૃતિથી અને પ્રકૃતિથી બરાબર એવા જ ! મનફરામાં પહેલીવાર ભમીબેનને જોયા ત્યારે એમ જ થયું : અરે ! આ ક્ષમાબેન
અહીં ક્યાંથી ? અત્યંત ભદ્રિક અને સાલસ
સ્વિભાવના ! એકબાજુ સેવા ને બીજી બાજુ તત્ત્વ જિજ્ઞાસા - બંનેમાંથી શું પસંદ કરવું? પૂ. કનકસૂ. મ. ગયા પછી પ્રેમસૂ. મ.નો પત્ર આવ્યો ઃ હવે આગળના અભ્યાસ માટે આવી જાવ. દેવેન્દ્રસૂ. મ. કહે : મારું શું ? બસ, અમે સેવામાં રોકાઈ ગયા.
• અંજારમાં પં. ભદ્રકરવિ. મ.નો પત્ર આવ્યો : ધ્યાનવિચાર ગ્રંથનું એકવાર અવલોકન કરી લેજો. હું કંટાળ્યો : આ ભેદ-પ્રભેદોની ભાંજગડમાં કોણ પડે ? પણ પં.મ. પર પૂરો ભરોસો ! મેં થોડી મહેનત કરી ને ખૂબ જ આનંદ થયો. ગ્રંથ સમજાયો.
“જિનવર - જિન – આગમ એકરૂપે' એ પંક્તિ જો ખરી રીતે માનતા હોઈએ તો ગ્રંથમાં કંટાળાય કેમ ?
મારા અને મારા વચનમાં ભેદ છે ? જો આ ભેદ ન હોય તો ભગવાન અને ભગવાનના વચનમાં ભેદ શી રીતે હોય ? ભગવાનના વચન એટલે આગમ.
પછી તો ધ્યાન-વિચારમાંથી જે પદાર્થો મળ્યા છે, તે બીજે ક્યાંયથી નથી મળ્યા. મને લાગ્યું : આ તો આગમ ગ્રંથનો જ એક ટુકડો છે. પખિસૂત્રમાં લખ્યું છે : “T-વિમત્તિ'
ધ્યાન વિમ'િ તેનો જ આ (ધ્યાન વિચારો અંશ હોય તેમ લાગ્યું. તેની શૈલી પણ આગમપર્વકની, ચાર નિક્ષેપા, સાત નય, સપ્તભંગી વગેરે એ જ પ્રમાણે !
- ૧૪ પૂર્વો ૧૪ પૂર્વીને છેલ્લી વખતે યાદ નથી રહેતા, નવકાર જ યાદ રહે છે. એ અપેક્ષાએ ૧૪ પૂર્વોથી નવકાર ચડી જાય. માટે જ હું આગંતુક પાસે નવકારવાળીની બાધાનો આગ્રહ રાખું છું.
૪૪
*
*
*
*
*
*
*
*
*
*
*
* * કહે