________________
રાજકીય જાગૃતિ : બ્રિટિશ મુલકમાં
નકકી કરતાં ગુજરાતના વ્યાયામક્ષેત્રે એક મોટા કાર્યકરની ખોટ પડી. ૧૯૨૫ થી ૧૯૩૬ ના સમય દરમ્યાન ગુજરાતભરમાં ઘણું વ્યાયામશાળા શરૂ થઈ અને વ્યાયામને પ્રચાર વધે, છતાં વ્યાયામ પાછળની પ્રેરક ભાવનામાં શિથિલતા આવી.
૧૯૨૬ માં રાવજીભાઈ ચતુરભાઈ પટેલ મદ્રાસની શારિરીક શિક્ષણ કોલેજમાં તાલીમ લેવા ગયા અને પાશ્ચાત્ય વ્યાયામ તથા રમતગમતની વ્યવસ્થિત તાલીમ લઈ આવ્યા. કેટલાક જુવાન કાર્યકરો અમરાવતીમાં “શ્રી હનુમાન વ્યાયામ પ્રચારક મંડળ”—સંચાલિત તાલીમ–શિબિરોમાં જોડાઈ “વ્યાયામવિશારદ' થયા. આમ હિંદની પદ્ધતિવાળા વ્યાયામ અને પાશ્ચાત્ય વ્યાયામ વચ્ચે સુમેળ સધાયે.
છોટુભાઈ પુરાણીના પ્રયાસોથી નડિયાદમાં ૧૯૨૮ માં પ્રથમ ગુજરાત વ્યાયામ પરિષદ ડે. હરિપ્રસાદ દેસાઈના પ્રમુખસ્થાને યોજાઈ, જેમાં ગુજરાત વ્યાયામ મંડળની સ્થાપના કરવાનો ઠરાવ થયો.
રાવજીભાઈ પટેલે ચરોતર કેળવણી મંડળના ઉપક્રમે દર વર્ષે ઉનાળાની લાંબી રજાઓમાં એક માસની મુદતના ગ્રીષ્મ વ્યાયામ તાલીમવર્ગે જવાને આરંભ કર્યો. આ તાલીમવર્ગોમાં બધી હિંદી રાષ્ટ્રિય અને પાશ્ચાત્ય વ્યાયામની તથા રમતગમતના વિવિધ પ્રકારોની વિસ્તૃત ક્રિયાત્મક અને જ્ઞાનાત્મક તાલીમ વ્યાયામ પ્રકારના નિષ્ણાતોની મદદથી આપવામાં આવતી. આવી ત્રણ વર્ષની તાલીમ બાદ “વ્યાયામ વશારદ'ની ઉપાધિ અપાતી. આવા તાલીમવર્ગો યુવકે શિક્ષણસંસ્થાઓ અને સમાજમાં ખૂબ જોકપ્રિય નીવડ્યા. આ પ્રવૃત્તિને લીધે શાળાઓ મહાશાળાઓ અને રમતમંડળોને ઉત્સાહી નિષ્ઠાવાન અને શક્તિશાળી વ્યાયામશિક્ષકે મળતા રહ્યા,
આમ ૧૯૨૫ થી ૧૯૩૬ના સમય દરમ્યાન આર્થિક સામાજિક રાજકીય એવી અનેક મુશ્કેલીઓ હોવા છતાં ગુજરાતમાં વ્યાયામપ્રવૃત્તિ સ્થિરતાપૂર્વક ટકી અને સમાજની જરૂરિયાત અનુસાર પ્રગતિશીલ રહી શકી. ગુજરાતમાં સ્થાનિક સત્યાગ્રહ
સત્યાગ્રહ એ એવું એક રસાયણ હતું કે જેમાં સત્ય અને આગ્રહના મિશ્રણ દ્વારા ધર્મ અને ક્રાંતિને સમન્વય થયો અને આવા અદ્દભુત સમન્વયને લીધે એ જીવનનાં તમામ ક્ષેત્રોમાં પરિવર્તન લાવે તેવું ચાલક બળ બની રહ્યો.૪૪ દક્ષિણ આફ્રિકા એ સત્યાગ્રહના શસ્ત્રની પ્રયોગશાળા હતું અને હિંદ એનું પ્રોગક્ષેત્ર બન્યું.
ગાંધીજીના નિવાસસ્થાન ગુજરાતમાં પ્રસંગોપાત્ત કેટલાક સત્યાગ્રહ થયા,