________________
૩૨૪
આઝાદી પહેલાં અને પછી
નવા વિષય
અને વ્યવસાયી કાલેજોમાં કૅામની ખે, તથા એક મેડિકલ કૅૉલેજ એમ આઠેક લગભગ ૧૦૦ જેટલી થવા આવી.
ઈ. સ. ૧૯૧૫-૪૭ ના ગાળાના આરંભમાં ગુજરાતમાં આસની ખે કૅાલેજ સાયન્યની ખે અને લાની એક કૉલેજ કૅાલજ ચાલતી તે વધીને ૧૯૬૦ માં
ઈ. સ. ૧૯૪૯ માં શરૂ થયેલી મ. સ. યુનિવર્સિટીએ ઉચ્ચ વિદ્યામાં નવા વિષયાની પ્રથમ શરૂઆત કરી. એણે એજયુકેશન, ગૃહવિજ્ઞાન, સેાશિયલ વર્ક, સાયન્સમાં માઇક્રા-બાલાજી, આર્કિટેક્ચર, એન્જિનિયરિંગ, લામાં ચિત્ર સંગીત નૃત્ય નાટયકલા અને ફાઇન આર્ટ્સના અને ઍપ્લાઈડ આર્ટ્સના વિષય એમ.એ. અને પીએચ.ડી. કક્ષા સુધી ક્રમશ: વધાર્યા છે. વળી, એનું પ્રાચ્ય વિદ્યામ`દિર સ`સ્કૃત-ગુજરાતી ગ્રંથૈાનાં સંશોધન–પ્રકાશન વગેરેને લાગતુ વિશેષ કાર્ય કરે છે. આ યુનિવર્સિટીએ કાપવિદ્યા મ્યુઝિયાલાજી અને ગ્રંથાલયવિદ્યાનાં તાલીમ કેંદ્ર પણ શરૂ કર્યા છે, ગૃહવિજ્ઞાન અને લલિત કલાઓની અલગ વિદ્યાશાખા સ્થાપી છે.
ગુજરાત યુનિવર્સિટીમાં ગુજરાતી એ અભ્યાસના વિષયેાની ખેાધભાષા છે. એમાં આટ્સ સાયન્સ કૅામ લા મેડિકલ ઉપરાંત નવા વિષયેામાં એન્જિનિય રિંગ, જેમાં સિવિલ મિકેનિકલ ઈલેક્ટ્રિકલ ઉપરાંત હાલમાં ઇલેટ્રાનિક્સના વિષય ઉમેરાયા છે. ફાર્મ સ્ફટિક્સ આર્કિટેકચર ગ્રંથાલયવિદ્યા અને એજ્યુકેશન અભ્યાસક્રમ ઉમેરાયા છે. ઈ. સ. ૧૯૫૬થી એનાં અનુસ્નાતક-કેંદ્ર શરૂ થયાં છે, જેમાં વિવિધ ભાષા, સમાજવિદ્યા રાજ્યશાસ્ત્ર ઇતિહાસ તત્ત્વજ્ઞાન માનસશાસ્ત્ર શિક્ષણશાસ્ત્ર અર્થશાસ્ત્ર જીવવિદ્યા પદાર્થવિજ્ઞાન રસાયણશાસ્ત્ર વગેરે વિષય એનાં અલગ ભવને દ્વારા શીખવાય છે. ભો. જે. વિદ્યાભવનમાં ભારતીય સંસ્કૃતિ તથા સ ંસ્કૃત અને ગુજરાતીને લગતું અધ્યયન-સંશોધનકાર્ય ચાલે છે. લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરમા સ્કૃત પ્રાકૃત વગેરેનું અધ્યયન-સંશાધન કાર્ય ચાલે છે. પી.આર.એલ.પદાવિજ્ઞાનના અધ્યયન—સંશોધનની સ'સ્થા છે. એ અને વસ્ત્રવિદ્યા માટેની ‘અટિરા' સંસ્થા એ બે સ્વતંત્ર સંસ્થા છે. ગુજરાત યુનિવર્સિટીમાં નાટયવિદ્યા પ્રશ્ન રીડિંગ પત્રકારત્વ વગેરેના ડિપ્લેમા–વ પણ શરૂ થયા છે.
સને ૧૯૩૬-૩૭ થી પાટણમાં આયુર્વેદ વિદ્યાલય હતું અને ૧૯૩૮ થી નિડયાદમાં એ શરૂ થયું. ૧૯૩૮ થી આણંદમાં કૃષિ-ગોવિદ્યાનું વિદ્યાલય શરૂ થયું.