SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૦ આઝાદી પહેલાં અને પછી શિક્ષણ ખેડ ની રચના જુગતરામભાઈ દવેના અધ્યક્ષપદે કરી અને મુબઈ પ્રાંતમાં સરકારની સહાયથી પ્રૌઢ શિક્ષણનું તેમ પછાત વર્ગાના ઉદ્ધારનું કા' શરૂ થયું. ઈ. સ. ૧૯૩૮ માં ખીજુ વિશ્વયુદ્ધ શરૂ થતાં પ્રાંતીય સરકારાને હિંદી સરકારે રદ કરી અને કરકસરના પગલા તરીકે કેળવણીના ખર્ચ'માં કાપકૂપ કરી.૨૨ ઈ. સ. ૧૯૪૨ થી ૧૯૪૫ દરમ્યાન ‘હિંદ છેડા' આંદોલનમાં ગુજરાતે સક્રિય ભાગ લીધે તેથી શિક્ષણની પ્રવૃત્તિ સ્થગિત થઈ. આ ગાળામાં ઈ. સ. ૧૯૪૩ માં હિંદ સરકારે કેળવણી અંગે સાર્જન્ટ કમિશન રચેલુ, જેણે પ્રાથમિકથી ઉચ્ચ વિદ્યા સુધીના શિક્ષણને સુધારવા કેટલીક ભલામણા કરેલી, જેને અમલ યુદ્ધોત્તર સમયમાં થયા. પ્રૌઢ શિક્ષણ પ્રૌઢ શિક્ષણમાં પ્રૌઢ વયનાં સ્ત્રી-પુરુષોને અક્ષરજ્ઞાન તથા સામાન્ય જ્ઞાન અપાય છે. તે એમને ઉદ્યોગો તથા સાંસ્કૃતિક પ્રવૃત્તિમાં રસ લેતાં કરાય છે. ૧૯૧૫ પછી વસેામાં અને પેટલાદમાં મોતીભાઈ અમીને રાત્રિશાળા ખોલેલી તે ૧૯૩૯ સુધી ચાલું હતી અને વસમાં એક પણ વ્યક્તિ અક્ષરજ્ઞાન રહિત ન રહે ત્યાં સુધી એ ચાલી. ૧૯૨૪ માં અમદાવાદ ભરૂચ ખેડા અને પંચમહાલ જિલ્લામાં ૧૧ રાત્રિશાળા હતી. ફરજિયાત શિક્ષણ માટે સયાજીરાવે, ગોંડળ રાજ્યે તેમજ વિઠ્ઠલભાઈ પટેલ, સેતલવાડ, ગેાખલે, રહેમતુલ્લા વગેરેએ નોંધપાત્ર કામ કરેલુ. પછી ગાંધીજીએ પણ આ પ્રવૃત્તિમાં રસ લીધે. ગિજુભાઈ-નાનાભાઈ અને મનુભાઈ પંચોલી-‘દશ કે’ દક્ષિણ:મૂતિ દ્વારા ભાવનગરમાં, જુગતરામભાઈ દવેએ વેડછીમાં અને ડૉ. લેખકે પાંચમહાલમાં પ્રૌઢ શિક્ષણ શરૂ કરેલુ તથા એ માટે વાચનપોથી અને અનુકૂળ પરીક્ષા-પદ્ધતિઓ વિકસાવી હતી. વડોદરા રાજ્યે પ્રૌઢ શિક્ષણની પણ સાધન-સામગ્રી વિકસાવેલી. ૧૯૩૭-૩૯ દરમ્યાન પ્રાંતીય સરકારોએ મુંબઈ રાજ્યમાં પ્રાંતિક પ્રૌઢ શિક્ષણ મેડ'' રચીને એના પ્રમુખ તરીકે જુગતરામભાઈ દવેને મૂક્યા હતાં. આ સમિતિએ પ્રૌઢાના અભ્યાસક્રમ, પ્રથમ અને દ્વિતીય શ્રેણીમાં ભાગીકરણુ, સાધનેમાં ફ્રાનસ ગ્યાસતેલ સ્લેટ-પેન અને પુસ્તકોની સહાય તથા વિદ્યાથી દીઠ રૂ. ૪.૨૫ અનુક્રમે પ્રથમ અને દ્વિતીય શ્રેણી માટે આર્થિક સહાય આપેલી. વિશ્વયુદ્ધ શરૂ થતાં આ યોજના બંધ થઈ તે સ્વરાજ્ય મળ્યું ત્યાં સુધી બંધ રહી. ઇ. સ. ૧૯૩૭ માં મુંબઈ રાજ્યમાં ‘પ્રૌઢ શિક્ષણ ખડ' રચાયું હતું અને ગુજરાતની પેટાસમિતિના પ્રમુખ શ્રી જુગતરામભાઈ દવે હતા. પ્રૌઢ શિક્ષણના
SR No.032612
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1987
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy